Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

આગામી તા.૩ એપ્રિલ રવિવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

મુખ્યમંત્રીશ્રી ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે
જામનગર તા.૦૧ એપ્રિલ, આગામી તા.૦૩/૦૪/૨૦૨૨ રવિવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાનાં પ્રવાસે પધારનાર છે. જેમાં તેઓ જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર- સિદસર ખાતે સવારે માતાજીના દર્શન કરશે.

ત્યારબાદ ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર ઉમિયા માતાજીના “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમત્રીશ્રીની સાથે આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી બ્રીજેશભાઇ મેરજા, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ઊંઝાના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પદ્મ શ્રી મથુરભાઈ સવાણી, સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરીયા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વેલજીભાઈ શેટા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

Related posts

જુનાગઢના ખડીયા ગામે વાડી વીસ્તાર માંથી રૂ.૨,૩૩,૭૩૦ ના જુગાર સાથે ૧૦ શકુનીઓને પકડી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ

samaysandeshnews

બજાર ભાવ: એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.804 અને ચાંદીમાં રૂ.2,839નું ગાબડુઃ ક્રૂડ તેલ રૂ.179 લપસ્યું

cradmin

પાટણ પોલીસ પરીવાર ના મહિલાઓ ગ્રેડ પે પગાર વધારો આપવાં રેલી યોજાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!