Latest News
‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે. બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોર જામનગરમાં ત્રણ ચોરાઉ મોટરસાઇકલ સાથે એક ઝડપાયો, LCB પોલીસે ₹75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. MULE HUNT” ઓપરેશનમાં વારાહી પોલીસની મોટી કાર્યવાહી: રૂ.67.61 લાખની સાયબર છેતરપીંડીનો પર્દાફાશ, મ્યુલ એકાઉન્ટ ચલાવનારાઓ પોલીસના રડારમાં. અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે નવનિર્મિત વિકેટોના ઉદ્ઘાટન સાથે જામનગર ક્રિકેટને નવી દિશા – BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ. મહારાષ્ટ્રના સોલાપુર હાઇવે પર પેટ્રોલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ.

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય: વિદ્યાર્થીનીએ અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય

ગાંધીનગર, સંજીવ રાજપૂત: અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું. 

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય
છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય
આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને યોગ્ય તપાસ કરી દિકરીને સંપૂર્ણ પારદર્શીતાથી ન્યાય આપવા મંત્રીએ સુચના આપી હતી.  છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની  દીકરી પરમાર અંકિશાબેનને ગેર સમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. જેના કારણે પરિણામ જાહેર થતા તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી. અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી.
આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ સંદર્ભે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થીની  તેના બેઠક નંબર ૭૩ ના બદલે ૭૧ માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી. સરકારશ્રી દ્વારા ન્યાયસંગત અભિગમ અપનાવતાં, ઉચ્ચ અધિકારીઓને તાકીદે સૂચનાથી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું અને તે આધારે ધોરણ-૧૧માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરાવવામાં આવી.
વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થીની ધોરણ ૧૦માં પાસ થવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીશ્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું છે. આ ઘટના રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ, તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયાધારિત દૃષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે. એક નાનકડી ભૂલને કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારની માનવીયતા અને સર્વસામાન્યની ચિંતા આ નિર્ણયમાં સ્પષ્ટ ઝળકે છે.
આ ઘટના સંદર્ભે મંત્રીની સુચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવા પણ રાજ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. છેવાડાના જિલ્લાની દિકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખુબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?