Latest News
આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાનના યુદ્ધ જહાજ પર અમેરિકાનો હુમલો, “ભારતના મહેમાન પર હુમલો” કહી ઈરાન ભડક્યું — વધતા તણાવથી વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ. ક્રિકેટના ભગવાનના ઘરમાં શેહનાઈ — અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના ભવ્ય લગ્નમાં ક્રિકેટ, ફિલ્મ અને ઉદ્યોગ જગતના દિગ્ગજો એકત્રિત. મુસાફરો માટે નવી સુવિધાઓનું કેન્દ્ર – ખાર રોડ રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો આધુનિક એલિવેટેડ ડેક બન્યો મલ્ટી-યુઝ હબ. તમારા બાળકનું આધાર સમયસર અપડેટ કરો – નહીં તો શિષ્યવૃત્તિ, પરીક્ષા અને સરકારી યોજનાઓમાં આવી શકે મુશ્કેલી! જાણો UIDAIની નવી માર્ગદર્શિકા. “વિદ્યાર્થીઓની સુરક્ષા હવે પ્રથમ પ્રાથમિકતા: રાજ્યભરની સ્કૂલોમાં સેફ્ટી વ્યવસ્થાનો વિશેષ ઇન્સ્પેક્શન, ત્રણ વર્ષનો વિગતવાર રિપોર્ટ માંગ્યો” “જામનગરમાં ઓનલાઇન ખરીદી મોંઘી પડી: OTP આપતા જ બેંક ઓફ બરોડા ખાતામાંથી 2.24 લાખની સાઇબર છેતરપિંડી”

જામનગરની ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને

વધુ ફી ઉઘરાવવા માટે રૂ. ૨.૫૦ લાખનો દંડ કરાયો: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની જામનગર જિલ્લામાં કુલ ૦૧ ફરિયાદ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એકપણ ફરિયાદ મળેલ નથી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાની શાળાને ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ-૨૦૧૭ની કલમ-૧૪(૧) મુજબ રૂ. ૨.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ ૨૬,૧૧૦ સ્વનિર્ભર શાળાઓ પૈકી ૧૨ ટકા એટલે કે ૩,૧૭૫ શાળાઓએ ફી નિયમન સમિતિઓમાં ફી વધારા માટે અરજી કરી હતી, જ્યારે બાકીની ૨૨,૯૩૫ એટલે કે ૮૮ ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સ્વનિર્ભર શાળા અધિનિયમ-૨૦૧૭માં કાયદાના ભંગ અંગે કલમ-૧૪માં કરેલી જોગવાઈ મુજબ સ્વનિર્ભર શાળાને પ્રથમવાર કાયદાના ભંગ માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ, બીજીવાર પાંચ થી દસ લાખ રૂપિયા અને ત્રીજીવાર કાયદાના ભંગ માટે શાળાને અપાયેલ માન્યતા રદ કરવા-એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવે છે.

આ દંડની રકમ વસુલ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ પણ શાળાએ પરત કરવાની રહે છે. આ ઉપરાંત રકમની ચુકવણી તે અંગેનો હુકમ મળ્યાની તારીખથી પંદર દિવસમાં કરવાની રહે છે. ત્યારબાદ વસુલાત કરવાની કુલ રકમના એક ટકા પ્રતિદિન લેખે ભરપાઈ કર્યાની તારીખ સુધી દંડ વસુલ કરવામાં આવશે. જો આ રકમ ત્રણ મહિનાની મુદત સુધીમાં ભરપાઈ કરવામાં નહી આવે તો તે રકમ જમીન મહેસુલની બાકી લેણાની બાકી રકમ તરીકે ગણીને વસુલ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?