Samay Sandesh News
ક્રાઇમગુજરાતજામનગર

જામનગર જીલ્લાના નામચીન બુટલેગરનો માતબર કિમતનો ઇગ્લીશ દારૂ પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

જામનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓને જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય , જેથી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા . દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાધલને ખાનગી હકિકત મળેલ કે નાધેડીગામમાં રહેતા રામભાઇ જીવાભાઇ મોઢવાડીયા તથા તેનો ભાઇ કાનાભાઇ જીવાભાઇ મોઢવાડીયા તથા આસીફભાઇ કાસમભાઇ સુમરા તથા તેનો ભાઇ ઇરફાનભાઇ કાસમભાઇ સુમરા ચારેય જણાએ સાથે મળી નાઘેડીગામમાં હનુમાન મંદિર પાસે આવેલ પડતર અવાવરૂ મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે ઉતારેલ છે .

તેવી હકિકત આધારે રેઇડ કરતા મકાન માંથી તથા વર્ના કાર માંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો નંગ -૧૩૨૦ કિ.રૂ. ૫,૨૮,૦૦૦ / – તથા વર્ના કાર જી.જે .૦૩ એફડી ૧૫૮૭ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – મળી કુલ રૂ . ૮,૨૮,૦૦૦ / – નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો . કોન્સ . શીવભદ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ . શ્રી કે.કે.ગોહીલ એ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે . રેઇડ દરમ્યાન મજકુર ચારેય આરોપીઓ હાજર મળી આવેલ નથી . જેઓને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે . આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી , પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ , પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા , તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા , સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , અશ્વિનભાઇ ગંધા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , નાનજીભાઇ પટેલ , દિલીપભાઇ તલવાડીયા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી , ખીમભાઇ ભોચીયા , અશોકભાઇ સોલંકી , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , હીરેનભાઇ વરણવા , દોલતસિંહ જાડેજા , ધનશ્યામભાઇ ડેરવાડીયા , ફીરોજભાઇ ખફી , શીવભદ્રસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , યોગરાજસિંહ રાણા , સંજયભાઇ પરમાર , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે

Related posts

તાળાબંધીની ચિમકી આપતાં શિક્ષણ વિભાગને આવ્યો રેલો

samaysandeshnews

આપ’ના ચૈતર વસાવાના પ્રશ્નના ઉત્તરમાં વનમંત્રી મૂળુભાઈ બેરા થોથવાયા

cradmin

PATAN: પાટણમાં આધાર કાર્ડ કેન્દ્રમાં ફિંગર પ્રિન્ટ ના મળતા અરજદારોને હાલાકી

cradmin

Leave a Comment

error: Content is protected !!