Samay Sandesh News
ગુજરાતજુનાગઢસબરસ

જુનાગઢના મા.મ. વિભાગ સ્ટેટના ના.કા. ઇ.દ્વારા વડાપ્રધાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી વિશે બેફામ વાણી વિલાસ કરતા કોર્ટમાં ફરિયાદ.

ભાજપના કાર્યકર કેયુર અભાણી દ્વારા તેમના એડવોકેટ નયનભાઈ જોશી તથા યુવા ધારાશાસ્ત્રી ઉત્તમ જોશીમારફતેબદનક્ષીની ફરિયાદ કરતા કોર્ટ ફરિયાદ રજિસ્ટરે લઈ આરોપીને હાજર રહેવા નોટિસ કરતા ખળભળાટ

વિસાવદરતા.તાજેતરમાં વિસાવદર તાલુકાના ચાપરડા ગામે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ આવેલ હતા ત્યારે સરકારની સૂચના મુજબ આર એન્ડ બીડિપાર્ટમેન્ટ સ્ટેટના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા રોડ રસ્તામાં રી સરફેસિંગ કરી અમિત શાહ પસાર થવાના હતા તે રસ્તો રીપેરીંગ કરાવેલ તેના ટૂંકા ગાળામાંગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે આવવાના હોય તે બાબતે એક જાગૃત પત્રકાર કેયુરભાઈ અભાણી દ્વારા તારીખ ૭/૪/૨૫ ના રોજ સવારના ૧૧/૧૫ મિનિટ નાયબ કાર્યપાલક ઇજનેર આબેદાબેન દરવાનને તેના મોબાઈલ ઉપર ફોન કરી જણાવેલ કે,સાહેબ તમે ઓફિસે છો તો હું તમને મળવા આવું તેમ કહી સમય માગતા આ નાયબ કાર્યપાલક ઇજનેર આબેદાબેન દરવાને કહેલ કે તમેં આવો હું ઓફિસમાં છું તેમ કહેતા આ પત્રકાર ત્યાં ગયા અને પૂછેલ કે મુખ્યમંત્રી વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પધારવાના હોય આ બાબતે આજે માર્ગ મકાન વિભાગ સ્ટેટ તરફથી ત્યાં પેચ વર્કનું કામ કરવામાં આવે છે તેમાં માંડાવડ વિસાવદર આવતા ધાફડ નદીના પુલ ઉપર ખૂબ જ મોટા ગાબડા હોય ત્યાં પણ પેચવર્ક કરી આ પુલના રસ્તાનું કામ રીપેરીંગ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી અને ત્યારે આ આબેદાબેન દરવાને જણાવેલ કે આ તમારા પક્ષના નેતાઓને જૂનાગઢ શુ છે તેઓ જૂનાગઢ જ કેમ આવે છે અગાઉ પણ વડાપ્રધાન આવેલ હતા અને ત્યારબાદ ગૃહમંત્રી ચાપરડાઆવેલા અને હવે મુખ્યમંત્રી વિસાવદરના માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે.

આ લોકોને કંઈ કામ ધંધો નથી શું કામ જૂનાગઢ જિલ્લામાં જ આવી અમોને હેરાન કરે છે તેમ કહેતા અમોએ તેઓને વિનંતી કરે કે સાહેબ અમારા પક્ષના નેતાઓ વિશે આવા શબ્દો કેમ બોલો છો તેમ કહી અમોએ રજૂઆત કરેલ અને કહેલ કે યાર્ડમાં જે ડોમ નાખવાના છે તે ડોમની આપ સાહેબ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે કેમ તો તેઓએ જણાવેલ કે આ ડોમની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરશે મારે કાંઈ કરવાનું રહેતું નથી તેમ કહેતા આ પત્રકારે તુરંત જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ અપાણી ને ફોન કરી આ બાબતે પૂછતાં તેઓએ કહેલ કે મારે ખાલી જગ્યા આપવાની છે આ કામ સરકારી તંત્ર કરશે. ત્યારબાદ ફરિયાદીએ આબેદાબેન પુછેલ કે આટલા બધા માણસો આવતા હોય જમવાની શુ વ્યવસ્થા કરવાની છે તો આરોપીએ કહેલ કે અમારે કોઈ વ્યવસ્થા કરવાની નથી આ બાબતે તમો પ્રાંત અધિકારી વિસાવદર સાથે વાત કરો તેમ કહેતા ફરિયાદીએ ત્યાંથી જ તેમની ઓફિસમાંથી પ્રાંત અધિકારી વિસાવદરને વાત કરતા તેઓએ કહ્યું કે આ બાબતે મને કોઈ ઉપરથી સૂચના નથી અને સૂચના મળસે તેમ કાર્યવાહી કરીશું તેમ જણાવેલ ત્યારબાદ આ આબેદાબેન દરવાને જણાવેલ કે આયોજન વગરનાવ શું દોડ્યા આવતા હશે આ કચેરીના અધિકારી ના આવા વર્તનથી ફરયાદીની લાગણીને ઠેસ પહોંચેલ હોય તેમજ તેઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હોય દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી તેઓના પક્ષના હોય અને સરકારી અધિકારી દ્વારા તેઓની બદનક્ષી થાય તે રિતે અપમાન કરી બદનક્ષી કરતા અને ફરિયાદીનું પણ અપમાન તથા બદનક્ષી કરતા ફરિયાદીએ વિસાવદર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરતા ખળભળાટ મચી ગયેલ છે.

આ બાબતે ફરિયાદીએ તેમની સામે ખાતાકીય તપાસ કરી ફરીયાદીના મોબાઈલનું લોકેશન મેળવી અને આ બાબતે ફરિયાદી તથા આરોપી આબેદાબેન દરબારની નારકોટેસ્ટ કરાવવામાં પણ ફરિયાદ માં જણાવેલ છે.આ ઉપરાંત ફરિયાદી એ તેમબી ફરિયાદમાં આ આરોપી આબેદાબેન દરવાનના પતિ અનવર બોધરા આમ આદમી પાર્ટીના કાર્યકર હોય તેથી રાજકિય રીતે રાજકીય પાર્ટી નો હાથો બની કામગીરી કરતા તેઓના સાક્ષી તરીકે વિનુભાઈ સમજુભાઈ હપાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વિસાવદરના પ્રાંત અધિકારી ને પણ સાક્ષી તરીકે દર્શાવેલ છે.

રિપોર્ટ હરેશ મહેતાવિસાવદર

Related posts

જામનગર : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી. એ શાહની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની બેઠક યોજાઇ.

cradmin

“આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર 2 ઓકટોબરે નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

samaysandeshnews

હળવદની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રીના વિચિત્ર બાળકનો જન્મ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!