Latest News
“ભક્તિભાવે ભીનું જામનગર: શિવ ધામ ખાતે ભાગવતાચાર્ય જીગ્નેશ દાદાની કથામાં ઉમટ્યા ભક્તો, દિવ્ય વાતાવરણમાં ગુંજ્યો શ્રીકૃષ્ણ મહિમા” “વિકાસના નામે વિનાશનો ખેલ” — ખંભાળિયા પાસેની એસ્સાર કંપનીમાં કન્વેયર બેલ્ટમાં લાગી ભીષણ આગ: પર્યાવરણને ભારે નુકસાન, સુરક્ષા નીતિ પર ગંભીર સવાલો “કોમ્બિંગ નાઇટ”માં જામનગર પોલીસનો ધડાકેદાર દબદબો — દિવાળી બાદ શહેરમાં ટ્રાફિક અને ગુનાખોરી સામે ત્રાટકેલી રાત્રિ અભિયાનમાં અનેક વાહનો ડીટેઇન, નિયમ તોડનારાઓમાં ફફડાટ ભાણવડમાં દેશી દારૂનું ફેલાતું દુષણ: નશામાં ડૂબતી બજારની હાહાકારભરી સ્થિતિ અને પોલીસની કાર્યવાહી અંગે પ્રશ્નો ખંભાળિયા નજીક એસ્સાર પ્લાન્ટમાં વિકરાળ આગ : કન્વેયર બેલ્ટમાં લાગેલી આગથી ચકચાર, ધુમાડાના ગોટાળા આકાશ સુધી પહોંચ્યા — ફાયર બ્રિગેડના દળોની તાત્કાલિક દોડધામ “ફોન પર નજર રાખી રહી છે સરકાર?” – મહારાષ્ટ્ર BJP મંત્રીની ચેતવણી પછી રાજકારણમાં ઉથલપાથલ, વિરોધ પક્ષોએ લગાવ્યા ગંભીર આરોપો

દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ

દ્વારકા શહેરમાં ચરકલા રોડ ઉપર આવેલ આવલ પરા પાસે અને આહિર સમાજની વાડી પાસે એક  ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જમીન ઉપર દબાણ કરી અને હોટલ બનાવેલ છે અને આવી રીતે સરકારની જગ્યાનુ ગબન કરી અને અને સરકારની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને ગેરકાયદેસર હોટલ ચલાવે છે

          આ કામના ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જગ્યાએ ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને હોટલ ચલાવે છે અને સરકારી જગ્યા નો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભરે છે તો આ બાબતે પ્રશાસનની નીંદર ક્યારે ઉખાડશે તે પ્રશ્ન છે ?

          દ્વારકા શહેરમાં આવા ગલી ગલીએ ભુમાફિયા છે અને સરકારી જગ્યા નો ઉપયોગ કરી ગેરકાયદેસર બાંધકામ કરી કોઈ પણ જાતની પરવાનગી કે મંજૂરી લીધા વગર બાંધકામ કરી અને હોટલો બનાવી અને પૈસા બનાવે છે અને સરકારી જગ્યા પચાવી લે છે તો આ બાબતે પ્રશાસનને અમારા અનુરોધ છે કે આવા ભુમાફિયા ઓને કાયદાનું ભાન કરાવી અને કડક કાર્યવાહી કરી સરકારી જમીન માં કબજો જોડાવાનું કાર્ય હાથમાં લે તેવી પ્રજાના હિતમાં માંગ છે.

          વધુમાં આ ભુમાફિયા હરેશ ભટ્ટ હાલ બેટ દ્વારકાની એક વિવાદિત જગ્યામાં પણ આરોપી તરીકે નામ નોંધાયેલ છે જેની તપાસ ભવિષ્યમાં થવાની છે તો ભુમાફિયાઓને લગામ ક્યારે લાગશે અને જગ્યા સરકારી હોય કે ખાનગી જગ્યા હોય તેમાં આવા ભુમાફિયા દ્વારા કબજો કરી અને દાદાગીરીથી જગ્યા પચાવી પોતાની ઇમારતો ખડકે છે તો આવા અસામાજિક તત્વો સામે સરકાર ક્યારે કરશે ?

          આ અમારી એક જનહિત યાચિકાને ધ્યાને લઈ આવા અસામાજિક તત્વો સામે સરકાર કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ છે જેથી ભવિષ્યમાં આવા ભુમાફિયા કોઈની જગ્યા ઉપર ગેરકાયદેસર કબ્જો કરે નહીં અને  આવા ગુનાહિત કાર્યો કરે નહીં અને કોઈ સરકારી કે ખાનગી જગ્યાનું દબાણ ન કરે તેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરે તેવી સરકાર પાસે માંગ છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?