Latest News
“સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો મહોત્સવ” — શહેરા અણીયાદ ચોકડી સ્થિત જે. જી. સ્કૂલનો ૧૫મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સુરતના વેસુમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ માસૂમ દીકરીઓ સહિત પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત, એક બાળકી જીવિત – ઉઘરાણી અને માનસિક ત્રાસની દિશામાં પોલીસ તપાસ. જામનગર વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટની અચાનક સ્થળ મુલાકાત કોર્પોરેટરો અને અધિકારીઓએ દુર્ગંધ નિયંત્રણ માટે કેમિકલ છંટકાવ તથા DO મોનિટરિંગ અંગે કડક સૂચનાઓ આપી. જામનગર–લાખાબાવળ નવા ડબલ ટ્રેક પર 120 કિમી પ્રતિ કલાકે સ્પીડ ટ્રાયલ. ૮૦ હજાર કરોડનું મહાબજેટ: મુંબઈના વિકાસ માટે AI, આરોગ્ય, રસ્તા અને પર્યાવરણ પર વિશેષ ફોકસ. નામ બદલવાની રાજનીતિ ગરમાઈ: કેરલમથી ઇન્દ્રપ્રસ્થ સુધીની ચર્ચા.

પાટણ જિલ્લા કોંગ્રેસમાં ભારે કકળાટ: પૂર્વ SC પ્રમુખનો વિરોધ, કાર્યાલયને તાળા, ધારાસભ્યની ખુલ્લી ચેતવણી—“ઉકેલ નહીં તો દંડક પદેથી રાજીનામું”

પાટણ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીની આંતરિક રાજનીતિ ફરી એકવાર ખુલ્લા મેદાનમાં આવી ગઈ છે. અનુસૂચિત જાતિના પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ હશમુખ સક્સેનાએ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ખુલ્લો વિરોધ નોંધાવી કાર્યાલયને તાળા મારી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવી દીધો છે. માત્ર એટલું જ નહીં, પાટણ કોંગ્રેસના વિધાનસભા ધારાસભ્ય કિરીટ પટેલે પણ સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ દંડક પદેથી રાજીનામું આપશે તેવી ચીમકી આપી છે.

મહિલા પ્રમુખની નિમણૂંક મુદ્દે વિવાદ

વિવાદની મુખ્ય કડી પાટણ જિલ્લામાં મહિલા પ્રમુખ તરીકે થયેલી નવી નિમણૂંક છે. કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે આ નિમણૂંક કરતી વખતે પાટણ જિલ્લાના કોઈ પણ વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન કે ધારાસભ્યનો “સેન્સ” લેવાયો નથી. આ પ્રક્રિયાને લોકશાહી વિરુદ્ધ અને કાર્યકરોના અપમાન સમાન ગણાવવામાં આવી રહી છે.

પૂર્વ SC પ્રમુખ હશમુખ સક્સેનાએ કહ્યું હતું કે,
“જિલ્લાના કાર્યકરો અને સમાજના આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર ઉપરથી નિર્ણય લાદવામાં આવે છે. આ રીતે ચાલશે તો સંગઠન તૂટી પડશે.”

પ્રદેશ સ્તરના નેતાઓ સામે ગંભીર આક્ષેપ

આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિના નેતા હિતેન્દ્રભાઇ પીઠડીયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો આક્ષેપ છે કે પાટણ જિલ્લાના સંગઠન અંગે ખોટી માહિતી આપી પ્રદેશ સ્તરે નિર્ણય લેવડાવવામાં આવ્યા છે.

પરિસ્થિતિ એટલી તણાવપૂર્ણ બની છે કે કેટલાક નારાજ કાર્યકરોએ ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે,
“હિતેન્દ્રભાઇ પીઠડીયા જો પાટણમાં પગ મુકશે તો તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર પણ જઈ શકે છે.”

આ પ્રકારની ભાષા કોંગ્રેસની આંતરિક અસંતોષની ગંભીરતા દર્શાવે છે.

ધારાસભ્ય કિરીટ પટેલનો વિસ્ફોટક હુમલો

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ ખુલ્લેઆમ પાર્ટીના પ્રદેશ નેતૃત્વ પર સવાલોની ઝડી વરસાવી હતી. તેમણે જણાવ્યું કે,
“આ રીતે ચાલશે તો 2027માં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.”

કિરીટ પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે,

  • ચૂંટાયેલા MLAને કોઈ નિર્ણયમાં વિશ્વાસમાં લેવામાં આવતા નથી.

  • જેમણે મને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમને જ આજે સંગઠનમાં હોદ્દા આપવામાં આવ્યા છે.

  • કાર્યકરો નારાજ છે અને જો તેમની અવગણના ચાલુ રહેશે તો તોડફોડ જેવી ઘટનાઓ પણ બની શકે છે.

તેમણે જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માત્ર ખોટા આશ્વાસનો આપી રહ્યા છે, પરંતુ જમીન પર કોઈ ઉકેલ આવ્યો નથી.

કાર્યકરોમાં ઉકળાટ, સંગઠન પર સંકટ

પાટણ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા કાર્યકરોનું કહેવું છે કે વર્ષોથી પાર્ટી માટે મહેનત કરનારાઓને બાજુ પર રાખી “પસંદગીના લોકો”ને આગળ ધપાવવામાં આવી રહ્યા છે. આથી ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીની સ્થિતિ નબળી પડી રહી છે.

એક વરિષ્ઠ કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે,
“જો પ્રદેશ નેતૃત્વ હવે પણ ધ્યાન નહીં આપે, તો પાટણ જેવો વિવાદ અન્ય જિલ્લાઓમાં પણ ફાટી નીકળશે.”

કોંગ્રેસ હાઇકમાન્ડ માટે ચેતવણી

પાટણ જિલ્લાનો આ વિવાદ માત્ર એક સ્થાનિક મુદ્દો નથી, પરંતુ કોંગ્રેસ માટે આવનારી ચૂંટણી પહેલા ગંભીર ચેતવણી સમાન છે. સંગઠન, સમાજિક સમીકરણો અને કાર્યકરોની નારાજગી—આ બધું જો સમયસર સંભાળવામાં નહીં આવે તો પાર્ટીને મોટું રાજકીય નુકસાન ભોગવવું પડી શકે છે.

હાલ પાટણ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ તણાવપૂર્ણ છે અને હવે બધાની નજર પ્રદેશ નેતૃત્વ અને હાઇકમાન્ડના આગામી પગલાં પર ટકેલી છે. શું અસંતોષી નેતાઓને મનાવવામાં આવશે કે પછી આ કકળાટ વધુ ઉગ્ર સ્વરૂપ લેશે—તે જોવાનું બાકી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?