Latest News
જામનગરમાં રજીસ્ટર્ડ વીલ આધારિત મિલ્કત નોંધ નામંજુર — વારસાગત હક માટેની લડત કાનૂની માર્ગે તીવ્ર બની “FASTag પછી હવે ‘KYV’ ફરજિયાત: વાહનચાલકો માટે નવી મુશ્કેલી કે જરૂરી સુધારણાનો પગલું?” “જામનગરનો ગૌરવ સમર્થ ભટ્ટ – મલેશિયામાં યોજાયેલી કોમનવેલ્થ એશિયન સમિટમાં ભારતનો તેજસ્વી અવાજ” રાજકીય માહોલમાં ચકચાર : ગાંધીનગર ધારાસભ્ય ક્વાર્ટરમાં કપલ મળતાં પોલીસ તપાસમાં હલચલ – સેક્ટર-21 ઘટનાએ ચિંતન જાગ્યું વિકાસની નવી ગાથા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતને ૧,૨૧૯ કરોડના વિકાસ કાર્યોની ઐતિહાસિક ભેટ — એકતા, વારસો અને વિઝનનું પ્રતિક અમેરિકન ફેડનો વ્યાજ દર ઘટાડાનો મોટો નિર્ણય : વૈશ્વિક આર્થિકતા માટે રાહતનો સંકેત કે નવો પડકાર? – ભારતીય બજારમાં ઉથલપાથલની સંભાવના

પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં ધંધુકામાં ₹. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત આયંબિલ અને વૈયાવચ્ચ ભવનનું રવિવારે ઉદઘાટન

ધીરગુરુદેવ, ઉપાધ્યાય જયેશ ગુરુદેવ તથા મહાસતીજીઓની શુક્રવારે પાવન પધરામણી

શનિવારે વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ધંધુકા ખાતે મેઘરાજ પ્લોટ, સ્ટેશન રોડ ખાતે આશરે ₹. ૨ કરોડના ખર્ચે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવ તથા સરોજશિશુ પૂ. જ્યોત્સનાજી મ.સ. ની અસીમ કૃપાથી નવનિર્માણ તેમજ ટીમાણીયા જૈન ઉપાશ્રયનું નૂતનીકરણ સંપન્ન થયેલ છે.

શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્રના તારક વોરા અને સંઘના નેહલ શાહના જણાવ્યાનુસાર પૂ. વિમળાબાઈ મ. સ. ની સ્મૃતિમાં રીટાબેન કિરીટભાઈ મગીયાએ વિમલ આયંબિલ ભવન અને વિમળાબેન ચંપકલાલ ખેતાણીએ વૈયાવચ્ચ ભવન નો તેમજ ભારતી કિરીટ શેઠ, ભદ્રાબેન જશવંતલાલ અને વર્ષાબેન હસુભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ રામજીભાઈ શાહ, રસીલાબેન હિંમતલાલ શેઠ વગેરે વિવિધ વિભાગના લાભાર્થી બન્યા છે.

તા. ૨૧ને શુક્રવારે સવારે ૮:૦૦ કલાકે પૂ. શ્રી ધીરગુરુદેવ રાજકોટથી, ઉપાધ્યાય પૂ. જયેશચંદ્રજી મ. સા., નવદીક્ષિત દેવાર્યચંદ્રજી મુનિ આદિ પાળિયાદથી તથા પૂ. સવિતાબાઈ મ. સ., સુશીલાબાઈ મ. સ., પૂ. સુધા–જ્યોત્સ્નાબાઈ મ. સ., પૂ. નયનાકુમારીજી, પૂ. આરાધનાજી, પૂ. ધ્રુતિકુમારીજી મહાસતીજી આદિનો મંગલ પ્રવેશ થશે.

પૂ. શ્રી ધીરગુરુદેવની પ્રેરણાથી તા. ૨૨ને શનિવારે સવારે ૯:૦૦ કલાકે વિનામૂલ્યે દંતયજ્ઞ અને જરૂરિયાતમંદોને દાંતની બત્રીસીનું વિતરણ ડીવાઇન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઉપાશ્રયે આયોજન કરેલ છે. ૯:૩૦ કલાકે ક્ષેત્રશુધ્ધિ જાપ અને પ્રવચન યોજાશે.

તા. ૨૩ને રવિવારે સવારે ૯:૪૫ કલાકે APMC માર્કેટ, કોલેજ રોડ ખાતે શ્રી અમિત મગીયા (મુંબઈ) ના પ્રમુખપદે ઉદઘાટન સમારોહ યોજાશે. અતિથિ તરીકે સર્વ શ્રી જયંતિભાઈ પટેલ, અપૂર્વ સંઘવી, નિલેશ શેઠ, રાજુ ધોલેરાવાળા, મેહુલ ધોળકીયા, અજય બરાનીયા, જયેશ શાહ, ભાવેશ હકાણી, ચંદ્રકાંત અજમેરા, પ્રફુલ તલસાણીયા, શ્વેતલ સંઘવી, કિરણ ભાવસાર, યોગેશ સંઘવી, રાજુ કેસ્ટ્રોલ, નિકુંજ શેઠ, મિતેશ શેઠ, સંદીપ સંઘવી, હંસાબેન બેલાણી વગેરે ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શરદ ભાવસાર, પ્રમોદ ટીમાણીયા, યોગેશ બેલાણી, નેહલ શાહ, મેહુલ લોલીયાણા, ગોપાલ રાણપુરા, અનિલ ટીમાણીયા, મહિલા મંડળ, યુવક મંડળ કાર્યરત છે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૦ ૦૫૫૮૮નો સંપર્ક કરવો.

રિપોર્ટર – કૃણાલ સોમાણી , ધંધુકા

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?