Samay Sandesh News
ગીર સોમનાથગુજરાત

માછીમારોની અનેકવાર કરવામાં આવેલી રજૂઆતને આખરે સફળતા મળી

વેરાવળ બંદરે ડ્રેજીંગ કામગીરી શરૂ કરવામાં આવી.વેરાવળ નું નામ આવે એટલે બંદર તો તેના અભિન્ન અંગની જેમ સાથે જ હોઈ તેમ કહી શકાય કારણકે અહી મોટા પ્રમાણમાં લોકો માછીમારી પર નભે છે. પરંતુ માછીમાર સમાજ માટે છેલ્લા ઘણા સમયથી માઠી બેઠી હોય તે રીતે સીઝન પણ નિષ્ફળ જઈ રહી છે અને ઘણી તકલીફો પણ વેઠવી પડે છે.જેમાંથી એક ડ્રેજીંગ પણ છે.

જેને લઇને માછીમારો દ્વારા અવાર નવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.જેના પરિણામ રૂપે વેક્યુમ ડ્રેજીંગની કામગીરી આખરે શરૂ કરવામાં આવી હતી.ડ્રેજીંગ કામગીરી શરૂ થવાથી માછીમારોની મોટા ભાગની તકલીફ દૂર થઈ શકશે.આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર, ખારવા સમાજ સાગરપૂત્ર ફાઉન્ડેશન ના પટેલ કિરિટ ફોફંડી, અધ્યક્ષ લખમ ભેસલા, બોટ એસો ના પ્રમુખ તુલસી ગોહેલ, પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, એસ. ઇ.એસ.આઇ. ના પ્રમુખ કેતન સુયાણી, ભીડીયા ખારવા સમાજ ના પટેલ હરિલાલ ડાલકી, બોટ એસો. ના પ્રમુખ રમેશ ડાલકી, ભિડિયા કોળી સયુંકત બોટ એસો. પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, કોળી મહામંડળના જેન્તી સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વીરપુરમાં સેન સમાજના સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કરિયાવરના પૈસા ખાઇ ગયાના આક્ષેપ સાથે યુગલની આયોજકો સાથે બબાલ

samaysandeshnews

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ખાતે namo એપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Patan: પાટણ જિલ્લામાં એન.આર.એલ.એમ યોજના અંતર્ગત લાભ મેળવી આત્મનિર્ભર બનતા સ્વસહાય જૂથો

cradmin

Leave a Comment

error: Content is protected !!