Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

આગામી તા.૩ એપ્રિલ રવિવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

મુખ્યમંત્રીશ્રી ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે
જામનગર તા.૦૧ એપ્રિલ, આગામી તા.૦૩/૦૪/૨૦૨૨ રવિવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાનાં પ્રવાસે પધારનાર છે. જેમાં તેઓ જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર- સિદસર ખાતે સવારે માતાજીના દર્શન કરશે.

ત્યારબાદ ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર ઉમિયા માતાજીના “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમત્રીશ્રીની સાથે આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી બ્રીજેશભાઇ મેરજા, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ઊંઝાના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પદ્મ શ્રી મથુરભાઈ સવાણી, સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરીયા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વેલજીભાઈ શેટા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

Related posts

ગુજરાત : ગુજરાતમાં યોજાવા જઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા તમિલનાડુના તન્જાવર સ્ટેટના રાજાશ્રીને રૂબરૂ નિમંત્રણ આપતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા

cradmin

રણકાંઠાની ૪ સ્કૂલોમાં ઠંડા પાણી માટે કુલર અને ફિલ્ટર લગાવાયા

samaysandeshnews

પાલિકાનાં વિપક્ષી નેતાઓએ ઘરેથી લાવેલા ટિફિનમાં ભોજન કર્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!