Latest News
ભીલવણમાં ઘટેલી દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકારના દ્રઢ નિશ્ચય: પીડિત પરિવારોની સંવેદનશીલ મુલાકાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે સુગમ માર્ગે વિકાસની દિશા: રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ-લાલપુર રોડ રી-સર્ફેસિંગના ખાતમુહૂર્તે નવા યોગનું શુભારંભ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વાગેલો ધક્કો: ગુજરાત એટીએસે દુશ્મન દેશને ગુપ્ત માહિતી આપનારા શખ્સનો પર્દાફાશ કર્યો સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ ભાણવડના ઢેબર ગામે શોકજનક ઘટના: ટ્રેક્ટર સાથે કૂવામાં પડી એક બાળકનો મોત

હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ.

હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

 

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં દેશભક્તિની અનોખી ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાનો भारतीय સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા યોગ્ય જવાબ આપ્યો હતો. આ પરાક્રમભર્યા પગલાંની ઉજવણી અને ભારતીય લશ્કરના શૌર્યને શ્રદ્ધાંજલિ આપવા હારીજ શહેરના ચાર રસ્તા પરથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશના લશ્કર જવાનોના બિરુદગાનને માન આપવો, દેશપ્રેમ જાગૃત કરવો અને શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો. યાત્રામાં શહેરના અનેક હોદેદારો, હોશિયાર યુવાનો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ યુનિટના સભ્યો તથા મુસ્લિમ સમુદાય સહિત દરેક વર્ગના દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

https://www.instagram.com/samay__sandesh/

યાત્રા દરમિયાન ડીજે સાઉન્ડ સિસ્ટમ દ્વારા દેશભક્તિથી તરબતર ગીતો વગાડવામાં આવ્યા હતા, જેમાં “ભારત માતા કી જય”, “વંદે માતરમ” જેવા નારાઓ સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો તેમજ વેદાંત કોમ્પ્લેક્સ અને કે.પી. હાઈસ્કૂલ રોડથી પસાર થઈ હતી. યાત્રા અંતે જૂની મામલતદાર ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું વિસર્જન કરાયું હતું.

આ યાત્રામાં ખાસ ઉપસ્થિતિ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી દશરથજી ઠાકોર, શ્રી જિગરભાઈ મેહતા, શ્રી નિલેશભાઈ રાજગોર, શ્રી મુકેેશજી ઠાકોર, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ ઠાકોર તથા મહિલા આગેવાન શ્રીમતી સોનલબેન ઠાકોર સહિત અનેક ગણમાન્ય મહેમાનો અને નાગરિકોએ તિરંગો હાથમાં લઇ હર્ષોલ્લાસપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો.

યાત્રામાં વિવિધ બેનરો દ્વારા ઓપરેશન સિંદૂરમાં સેનાના શૌર્યને દર્શાવવામાં આવ્યું હતું. “આંતકવાદનો નાશ, શાંતિનો પ્રકાશ”, “ભારત માવીજય” જેવા નારાઓ સાથે યાત્રા જનમનમાં દેશભક્તિના સ્નેહ અને એકતા જગાવી ગઈ.

આવા આયોજન દ્વારા હારીજ શહેરે દેશને એકતા, શૌર્ય અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. દેશભક્તિના રંગમાં રંગાયેલા આ અવસરે હારીજ નાગરિકોએ સાબિત કર્યું કે જ્યારે વાત દેશની હોય, ત્યારે દરેક નાગરિક એકસાથે ઊભા રહી શકે છે – માધ્યમ હોય તો બસ તિરંગાની છાંયાં અને ભારત માતા પર અઢળક પ્રેમ.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.


 

cradmin
Author: cradmin

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ