Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

 જામનગર : જામનગરવાસીઓને મળશે સુરત સુધીની લક્ઝરી કોચ સેવા

 જામનગરજામનગરવાસીઓને મળશે સુરત સુધીની લક્ઝરી કોચ સેવા: ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી સહિતના મહાનુભાવોએ જામનગર-સુરત લક્ઝરી કોચનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

જામનગર તા.૨૧-ફેબ્રુઆરી, રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2×2 લક્ઝરી કોચની ફાળવણી કરાતા જામનગરવાસીઓને હવે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો લાભ મળશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગર એસ.ટી.ડેપોથી સુરત સુધી પરિવહન કરનાર આ લક્ઝરી કોચનું ગત તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રી રિવાબા જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી સહિતના મહાનુભવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શહેરના કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા જામનગર એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક શ્રી બી.સી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા એસ.ટી.વિભાગના પરિવહન અધિકારીશ્રી જે.વી.ઇસરાણી તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

Related posts

ડો.ભીમરાવ આંબેડકર સાહેબ જન્મજયંતી મહોત્સવ

samaysandeshnews

જામનગર : જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સહિત 3 જગ્યાએ આક્રોશભેર કોંગ્રેસનું પૂતળાં દહન કરતું બજરંગ દળ

cradmin

દાંતાના વણઝારા તળાવમાં ડૂબી જવાથી એક આશાસ્પદ યુવકનું મોત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!