Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : કેબિનેટ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

જામનગર  : કેબિનેટ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

જામનગર તા. ૨૩ જુલાઈ, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલી ઊંડ નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કૃષિમંત્રીશ્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ઊંડ નદીમાં શ્રીફળ અને ગુલાબના પુષ્પો પધરાવીને નવા જળનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ઊંડ નદી એ પેયજળનો મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાય છે. હાલમાં, ભારે વરસાદને પગલે જિલ્લામાં મહત્વપૂર્ણ તમામ નદીઓ અને ડેમમાં પાણીનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે.

કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામમાંથી આવેલા આગેવાનશ્રીઓ અને બહોળી સંખ્યામાં કુનડ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરતમાં અડાજણ રોડ ઘોરણ ચાર નાં વિદ્યાર્થીઓના દાદા- દાદી અને નાના-નાની ને વડીલ વંદના નાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

samaysandeshnews

સુરત : સુરતમાં યોજાયેલા સમૂહ લગ્નમાં કરાયું અનોખું દાન

samaysandeshnews

સુરતમાં કોરોનાં બ્લાસ્ટ : સાડા સાત માસ બાદ નવાં કેસ 400ને પાર, 424

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!