Latest News
‘ડિજિટલ ભારત’ તરફ એક ઐતિહાસિક પગલુંઃ PM નરેન્દ્ર મોદીએ સ્વયં-જનગણના પૂર્ણ કરી, વસ્તીગણતરી-2027નો પ્રારંભ. ચિનમય મિશનની 75મી વર્ષગાંઠઃ ‘ચિનમય અમૃત મહોત્સવ’ના ભવ્ય સમાપન માટે PM મોદીને આમંત્રણ, વૈશ્વિક આધ્યાત્મિક યાત્રાનો ઐતિહાસિક પડાવ. જામનગરમાં એ.સી.બી.નો મોટો ટ્રેપઃ CPWDના મદદનીશ ઇજનેર રૂા. 4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. સાળંગપુરમાં ૧૦૦૮ કિલો પુષ્પોથી હનુમાનદાદા પર ભવ્ય પુષ્પવર્ષા, સમગ્ર ગુજરાતમાં હનુમાન જયંતીની ભક્તિમય ઉજવણી. ઈરાનમાં સેનાના સમર્થનમાં જનસેલાબ: યુદ્ધ વચ્ચે તેહરાનમાં વિશાળ રેલી, અમેરિકા-ઈઝરાયલ સામે એકજૂટતા લીલા નિશાનમાં બંધ થયેલું શેરબજારઃ સેન્સેક્સ ૧૮૫ પોઈન્ટ ચઢ્યો, નિફ્ટીમાં પણ તેજી; IT શેરોમાં ખરીદી, બેંકિંગ અને મેટલ સેક્ટરમાં દબાણ.

જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું

જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું: જામનગર તા.૦૪ ઓક્ટોબર, દર વર્ષની માફક આ વર્ષે પણ પુજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૩ થી તા.૮/૧૦/૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયેલ છે.જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.
જેનાં ભાગરૂપે ટાઉન હોલ, જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ રાખવા આવેલ. જે કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ ત્યા આવેલ પુજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આંટી અર્પીત કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ.ધારાસભ્યશ્રી દ્વારા નશાબંધી અને આબકારી ખાતાને વ્યસનમુક્તિના કાર્યક્રમ બદલ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

 

અને આ નશાબંધી સપ્તાહ સફળ થાય તે માટે શુભેચ્છા પાઠવેલ હતી. અને ગુજરાતના નવયુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરી હતી. ત્યાર બાદ જામનગર સાયક્લિંગ ક્લબ અને ગાયત્રી શક્તિપીઠ પરીવાર દ્વારા સાયકલ રેલી તેમજ વ્યસનમુક્તિ રથને લીલી ઝંડી આપી સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રીએ પ્રસ્થાન કરાવેલ હતુ. આ સાયકલ રેલી નશાબંધી અંગેના સુત્રોચ્ચાર તથા
વ્યસનમુક્તિ પ્લેબોર્ડ સાથે શહેરના લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, એસ.ટી ડેપો, જોલી બંગલા રોડ વગેરે સ્થળોએ ફરી વળી હતી. આ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને આબકારી નિયામકશ્રી એલ.એમ.ડિંડોરના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી અધિક્ષક જામનગર શ્રી સહદેવસિંહ વાળા તેમજ સ્ટાફ દ્વારા કરવામા આવેલ હતું. ઉદ્ધાટન
સમારોહમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયરશ્રી સોઢા ક્રિષ્નાબેન, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક શ્રી કેતનભાઈ નાખવા તેમજ જિલ્લાના કોર્પોરેટરશ્રીઓ સહીત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શું તમે સમયસંદેશ ન્યુસ ચેનલ સાથે સંતુષ્ટ છો ?
Only registered users can vote. Login to vote.