સુરત: પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ભંગારની દુકાનમાં આવેલ બાટલામાંથી ક્લોરિન ગેસ લિકેજ થવાની ઘટના સામે આવી છે. જેના પગલે 6 લોકોને ગુંગળામણની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
અસર થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 5ની હાલત સ્થિર હોવાનું તેમજ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરાના વડોદમાં ભંગારની દુકાનમાં ક્લોરિનનો બાટલો આવ્યો હતો.જેને ભંગારની દુકાન વાળાએ ખોલવાનો પ્રયાસ કરતાં ક્લોરિનનો ગેસ લીક થયો હતો.
જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે પૈકી 5 લોકોને વધારે ગુંગળામણ ળતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ આ બાબતની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે
દોડી આવ્યો હતો અને ભોગ બનેલા લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આજે બપોરે પોતે નોકરીથી ઘરે પરત ફર્યા બાદ જમી રહ્યા
હતા. આ દરમિયાન અચાનક લોકો ભાગવા લાગતા હું પણ મારા ભત્રીજાને લઈને ટેરેસ પર દોડ્યો હતો. જો કે મને ગેસની અસર થવા લાગતા હું પણ નીચે ઉતરીને રોડ પર દોડ્યો હતો. જો કે ધીમે-ધીમે મારો શ્વાસ પણ રુંધાવા લાગ્યો અને હું બેભાન થવા
લાગ્યો હતો. હાલ તો આ ઘટનામાં ભોગ બનેલા 5 લોકો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે પૈકી 1ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે
