Latest News
🌳 “વન બોલે છે… પોલીસ કરે છે! વિશ્વ પર્યાવરણ દિવસે જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુનો સંદેશ – ‘દરેક નાગરિક વર્ષે એક વૃક્ષ વાવે’” 🌍 🌱 “એક પેડ…એક સંકલ્પ: જામનગર કોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી” 🌍 “અબોલ જીવોની અઝાદી: જામનગરમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 32 નર ભેંસ છોડાવવામાં આવ્યા, બે ઇસમો સામે કડક કાર્યવાહી” “પર્યાવરણ સાથે બાળકોએ જોડ્યું જીવતંત્ર: ચેલામા એસઆરપી કેમ્પે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી” “ટ્રાફિકને છોડો, મેટ્રોમાં ચડો: આઈપીએલ 2025 દરમિયાન અમદાવાદ મેટ્રોની ૧૫ લાખથી વધુ મુસાફરીનો વિસ્મયકારક કિરિટ” “ફળીયામાં છુપાયેલું ઝેર: કોટડા બાવીસીગામમાં દેશી દારૂના જથ્થા સાથે યુવક ઝડપાયો”

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત:ક્રાઈમ બ્રાન્ચે 56 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત…

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ખંભાળિયા જામનગર હાઈવે પર વાડીનાર નજીક ભરાણા ગામે એક રૂમમાં રહેતા પર પ્રાંતિય આસામીઓ દ્વારા રાખવામાં આવેલા મોબાઈલ ફોન રૂમનું તાળું તોડીને કોઈ તસ્કરો લઈ ગયા હોવાની ફરિયાદના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા
એલસીબી વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં
રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જી.જે. 10 એ.એફ. 8860 નંબરના પલ્સર મોટરસાયકલ પર બેસીને  આવેલા બે શખ્સોને પોલીસે અટકાવ્યા હતા.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હમીદ ઉર્ફે અમુડો હારૂન સંઘાર (ઉ.વ. 26) અને કે.પી.ટી. સર્કલ પાસે રહેતા ઈરફાન ઉર્ફે ગટુડો ઈબ્રાહીમ સુંભણીયા (ઉ.વ. 20) નામના આ બંને શખ્સોની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ બંને શખ્સોએ મોબાઈલ ફોનની ચોરીની કબૂલાત આપી હતી.
આથી પોલીસે રૂપિયા 36,000 ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 20,000 ની કિંમતનું મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 56,000 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આ બંને શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર સાથે સ્ટાફના સુનિલભાઈ કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, સચિનભાઈ, નરસિંહભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
સૌથી મોટો સર્વે વિસાવદર વિધાનસભા કોણ જીતશે ?