Latest News
નોટબંધી પછી પણ 5,817 કરોડની 2000 રૂપિયાની નોટો સિસ્ટમમાં પરત નથી! RBIનો નવો ખુલાસો ચોંકાવનારો – જાણો શું છે નવી સુચના અને તમારાં માટેનું મહત્વ! કમોસમી વરસાદે ઉખાડી લીધું એક ખેડૂતનું જીવન — ઉના તાલુકાના રેવદ ગામે પાક નિષ્ફળ જતા 50 વર્ષીય ખેડૂતનો આપઘાત, લોનના બોજ તળે તૂટી પડ્યો પરિવાર ભચાઉ નજીકની બજરંગ હોટલના પાર્કિંગમાં એસ.એમ.સી.ની ઐતિહાસિક કાર્યવાહી — ૧.૮૫ કરોડનો વિદેશી દારૂ પકડાયો, રાજસ્થાનના બે બુટલેગર ઝડપાયા કમોસમી માવઠાથી ખેડૂતોએ સહન કરેલો આર્થિક આઘાત — પાક બરબાદી વચ્ચે સરકારને રાહત સહાય અને મગફળીની ટેકાના ભાવે ખરીદીની તાત્કાલિક માંગ યુનિક કંપનીનો ડાયરેક્ટર કરોડોની ઠગાઈના કેસમાં ધરપકડાયો : ભુજ કચ્છની ગ્રાહક તકરાર કચેરીના ૯ પકડ વોરંટ વચ્ચે અંતે અમદાવાદથી પોલીસના જાળમાં ચડ્યો ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ૧ નવેમ્બરથી રાજ્યભરમાં રાશનકાર્ડધારકોને ચીજવસ્તુઓનું વિતરણ શરૂ – અંત્યોદય તથા NFSA લાભાર્થીઓ માટે રાહતના નવા તબક્કાની શરૂઆત

જામનગરની સજૂબા સ્કૂલ પાસે કચરામાં આગ ભભૂકી ઉઠી

અગનજવાળાઓ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી: સદ્નસીબે જાનહાનિ ટળી

જામનગરની એક માત્ર સરકારી સજુબા ક્ધયા શાળા પાસે મંગળવારે સવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જો કે, મોટી દુઘર્ટના સહેજમાં ટળી હતી. કારણ કે, આગની જ્વાળાઓ વીજતંત્રના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. કચરો ઉપડાવામાં ઘોર બેદરકારીના કારણે કોઇએ કચરામાં દિવાસળી ચાંપી સળગાવતા આગ લાગી હતી.
જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક ઘણાં સમયથી કચરાનો ઢગલો પડ્યો છે. આ સ્થળેથી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અમુક વેપારીઓએ ત્યાંથી પસાર થતી કચરાની ગાડીવાળાને કચરો ઉપાડવા માટે કહ્યું હતું. પરંતુ આ પોઈન્ટ અમારામાં આવતો નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો. સફાઈ કરતા કામદારો પણ કચરો ઉપાડતા ન હતાં. આથી કોઈ વ્યક્તિએ રોષે ભરાઈને તે કચરો સળગાવ્યો હતો. આથી તેમાંથી નીકળતી જ્વાળાઓ નજીકમાં આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. જો કે, તે પહેલા આગ ઓલવવામાં આવતા મોટી દુઘર્ટના ટળી હતી. ક્ધયા શાળા પાસે શા માટે કચરો નાખવામાં આવે છે તે સળગતો સવાલ ઉભો થયો છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?