ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે જુદા જુદા સ્થાનો પર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ પ્રસંગને લઈને આવતી કાલે 13 એપ્રિલ,2025ના રવિવારે સવારે 9:00 વાગ્યાથી સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ – જામનગર, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં હાપામા આવેલા ચામુંડા માતાજી મંદિર,મામાદેવના મંદિર પાસે આ ઉપરાંત શંકર ટેકરી વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.12/58, શંકર ટેકરી, નેહરુનગર, 49 દિગ્વિજય પ્લોટ રોડ ઉપરાંત ગુલાબ નગર વિભાપર રોડ ઉપર આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં. 17/59 આ ઉપરાંત પાણાખાણ રોડ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.18/19, ટેલીફોન એક્સચેન્જ સામે, ઉપરાંત વામ્બે આવાસ, મયુર નગર પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.22/33 આ ઉપરાંત હિમાલય સોસાયટી વિસ્તારમાં દિગ્જામ સર્કલ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.31/57 ઉપરાંત વૈશાલી નગર શેરી નં- 8, વણકર સમાજ વાડી ખાતે આ ઉપરાંત ભીમવાસ, જુના રેલ્વે સ્ટેશન પાછળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.42 ખાતે અને વિનાયક પાર્ક 1, રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા ગરબી ચોક, ગણપતિ મંદિર ખાતે તેમજ ચામુંડા માતાજીનું મંદિર, શંકર ટેકરી, રામનગરમાં 13 એપ્રિલના રવિવારે સવારે 9:00 વાગ્યાથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેડમાં છેલ્લા બે નજીક આવેલ વાછરા દાદા ના મંદિરે, લાલપુર ખાતે નવાપરા પ્રા. શાળા ,ધરાનગર ઉપરાંત કાલાવડમાં મ્યુનીસીપલ હાઈસ્કૂલ તેમજ ધ્રોલમાં ગાયત્રી નગરમાં આવેલ ગાયત્રી માતાજીના મંદિરે તેમજ ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે આ ઉપરાંત સિક્કામાં આવેલ રાધાસ્વામી સોસાયટી વોર્ડ નં.7 ના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, જોડિયા ચારધામ ચોક (લક્ષ્મીપરા) ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દ્વારકામાં નગરપાલિકા પાછળ આવેલ તાલુકા શાળા નંબર -૦૩ તેમજ જામ ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં આવેલ સિરેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, ( ડિવાઈન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ )માં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર જિલ્લા અનેક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 13 એપ્રિલ 2025 ના સવારે 9:00 કલાકે થી વિવિધ તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પમાં દર્દીઓને તપાસી નિદાન કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, સેવા વિભાગના પ્રમુખ કિંજલભાઈ કારસરીયાની યાદીમાં લાભ લેવા માટે જણાવ્યું છે.
