Latest News
મહારાષ્ટ્રના રાજકારણમાં તણાવ વચ્ચે સંજય રાઉતનો સ્પષ્ટ સંદેશ: “દુશ્મન પણ સંપર્કમાં હોય છે, પણ વિચારધારાનો સંઘર્ષ યથાવત” મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ: પાર્થ પવાર અને રાજ ઠાકરે વચ્ચે દોઢ કલાકની ગુપ્ત બેઠકથી અટકળો તેજ. મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા દિશામાં ઐતિહાસિક પગલું: સી-60 કમાન્ડોને મેડલની જાહેરાત, ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે સખત લડતનો સંકલ્પ ગુજરાતના આંગણે વડાપ્રધાનનું આગમન — અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વિકાસયાત્રાની નવી શરૂઆત. મહારાષ્ટ્રના રાજકારણમાં ‘મોટા ભૂકંપ’ના સંકેત: એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત બાદ સત્તાના સમીકરણોમાં ઉથલપાથલની અટકળો તેજ ઈરાનના મશહદ ઍરપોર્ટ પર હવાઈ હુમલો: દિલ્હી આવનાર માનવતાવાદી વિમાન નિશાન બનતાં વૈશ્વિક ચિંતા તેજ

સંપત્તિ વેરો, પાણી વેરો, સફાઈ વેરો, શિક્ષણ વેરો… મ્યુનિસિપલ કોર્પોરેશન આપણાં શહેરના નાગરિકો પાસેથી અનેક પ્રકારના વેરાઓ ઉઘરાવે છે.

અને આપણે બધા જાગૃત નાગરિકો ફરજ તરીકે સમયસર વેરા ચૂકવીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ.

પણ શું તંત્ર પોતાની જવાબદારી નિભાવે છે?

દુઃખની વાત છે કે ઘણીવાર અમલદારો કે સફાઈ કર્મચારીઓ બેદરકારી દાખવે છે. રસ્તા ગંદા રહે છે, લાઇટ બંધ રહે છે, કચરો સમયસર ન ઉઠાવાય – અને તંત્ર જાણતાં અજાણતાં આંખ બંધ રાખે છે.

મિત્રો, વેરો ચૂકવવો એ આપણા કર્તવ્યનો એક હિસ્સો છે – પણ જ્યાં તંત્ર ચૂકી જાય, ત્યાં અવાજ ઉઠાવવો એ પણ આપણી ફરજ છે.

તમે ફરિયાદ કરો – કારણ કે તમારી ફરિયાદના આધારે તંત્ર હરકતમાં આવશે.
તમારું એક પગલું આખા શહેર માટે સુધાર લાવી શકે છે.

જાગો નાગરિકો… બેદરકાર તંત્રને જવાબદાર બનાવો!
ફરિયાદ કરો અને તમારા હક્ક માટે ઊભા રહો!
શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત બનાવવામાં તમારી ભૂમિકા નિર્ભર છે!”

જામનગર મા રહેતા દરેક વ્યક્તિ પોતાના વિસ્તાર મા યોગ્ય સાફ સફાઈ, મચ્છરનો ઉપદ્રવ, ખરાબ રોડ રસ્તા, મરેલા જાનવરો, ડ્રેનેજ વિભાગ ,ઓછા ફોર્સ થી પાણી, ટીપર વાન, સ્ટ્રીટ લાઈટ, કુતરા નો ત્રાસ, રખડતા ઢોર, જંતુ નાશક દવા નો છંટકાવ જેવી જામનગર મ્યુનિસિપલ ને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીયાદ વિભાગ 0288 2550131 0288 255032 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકો છો …

તુરંત ફરીયાદ નોંધાવો…
કારણ આપ વેરો 365 દીવસ ના ભરતા હોય છો, તો પછી કામ ન ઉકેલાય તે કેવી રીતે ચાલે….કમ સે કમ સફાઈ તો દરરોજ થવી જ જોઈએ…

હવે તો ફોન કરવો પણ સાવ મફત છે… તમે ફકત તમારી આળસ થી તમારો ગલી,મહોલ્લો ચોખ્ખો નથી રાખતા.., ફરીયાદ નોંધાવો..તેમા આળસ નો કરો..

જો JMC ફોન બંધ હોય કે નો રિપ્લે થઈ જાય તો ઓન લાઈન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની એપ ઉપર પણ ફરીયાદ નોંધાવી શકો છો

https://www.mcjamnagar.com/OnlineServices/Complaints.aspx?SID=OSER

યોગ્ય ન થતાં દરેક કામ ની દરરોજ ફરિયાદ નોંધાવો, આ નંબર પર ની ફરિયાદ કમિશનર ઓફિસ ઉપર જતી હોવાથી તમારું કામ નાના મોટા દરેકે કર્મચારી ને કરવુ જ પડશે…

તમે આ નંબર ઉપર ફોન કરો તો ફોન રેકોર્ડીંગ કરી લેવુ જેથી કરીને ફોન ઉપર તોછડો જવાબ કે ફરિયાદ નોંધાવતાં કઈ આનાકાની થાય તો મીડિયા ની મદદ લઇ શકાય…
ટૉલ ફ્રી નંબર 18002330131

અઘીકારી ના પગાર કાઢવા સરકાર સખત મહેનતે દરેક જગ્યાએ થી પ્રજાજનો પાસે થી રુપિયા કોઈ પણ રીતે કઢાવી રહી છે…પરંતુ આપણા કામ નથી થતા તો એક ફોન કરીને આપણા ભરેલા નાણાં નું વળતર મેળવી અને કર્મચારીગણ અને અધીકારી ને પણ આપણા કામ માટે વેગવંતા રાખીયે…
દરેક અધિકારી પણ હવે એ જાણીલે કે તમારે જુની રૂઢી મુકી હવે કામ તો ઈમાનદારી થી કરવુ જ પડશે…

અને કમિશનર સાહેબ ને પણ તોજ ખબર પડશે કે આપણી ફોજ મા કેટલા લોકો કામઢા છે…
જામનગર ની પ્રજા ને કેટલી સમસ્યા છે…

પ્રજાને ખરેખર તેના ભરેલા નાણા નુ યોગ્ય વળતર મળે છે..

કેન્દ્ર સરકાર ના સ્વચ્છતા સર્વેક્ષણ માં જામનગર મહાનગરપાલિકા ના સ્કોર કેટલો… ? બહુ અઘરો સવાલ છે.

સફાઈ અને પબ્લીક સર્વીસ

જામનગરમ્યુનિસિપલ કોર્પોરેશન ફરીયાદ વિભાગ

02882550131
02882550132

મીત્રો મારો આ મેસેજ દરેક ગ્રુપ મા શેર કરી મોદીજી ના સ્વચ્છતા અભિયાન ના યશભાગી બનીયે….

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?