Latest News
જામનગરમાં સિંધી સમાજનો આક્રોશ: અમદાવાદના નયન સંતાણી હત્યા કાંડ સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર જામનગરમાં ગણેશચતુર્થી-૨૦૨૫ અને નેશનલ સ્પોર્ટ્સ ડેની વિશાળ ઉજવણી: શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે ૫ લાખનો પ્રથમ પુરસ્કાર, ત્રણ દિવસીય રમતોના આયોજનો સાથે કલેક્ટર અને કમિશ્નરશ્રીની અપીલ મોરવા–કબીરપુર માર્ગ પર ખાડા અને ઝાડી–ઝાંખરાનો કંટાળો : ગામલોકો તંત્રની કાર્યવાહી માગે છે બીકેસીમાં પડેલા ખાડાઓએ વધારી ચિંતા : મુસાફરો માટે જોખમ, તંત્ર સામે ઉઠી તાત્કાલિક પગલાં લેવાની માંગ ભાંડુપમાં ખુલ્લા વીજ વાયરથી 17 વર્ષના યુવાનનું મોત : ચેતવણી રૂપ ઘટના CCTVમાં કેદ મુંબઈમાં યલો એલર્ટ વચ્ચે પ્રચંડ વરસાદ: છેલ્લાં પાંચ વર્ષમાં ઓગસ્ટ મહિનાનું બીજું સૌથી ભારે વરસાદ, શહેરમાં ભયંકર ખલેલ

કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર બન્યા

કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર

કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ બાજરી સહિતનો અન્ય પાકને નુકસાન જવાની શક્યતા હોવાથી ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ..

કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર
કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર




ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ખેતરમાં જમીન દોસ્ત થયો…

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારના રોજ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા ને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ હતી. જ્યારે તાલુકાના સાદરા સહિતના અન્ય ગામોમાં ખેતર માં રહેલ બાજરી, તલ સહિત અન્ય પાક ને નુકસાન થતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારની સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા હતા. જ્યારે તાલુકાના સાદરા ગામ સહિત આજુબાજુના ગામના ખેડૂતો ચિંતાતુર થવા સાથે તેમની અનેક આશાઓ ઉપર પાણી ફરી ગયુ હોય તેવા દ્રશ્યો અનેક ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા હતા,ખેડૂતના ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત નો અન્ય પાક જમીનદોસ્ત થતા ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યા હતા.અમુક ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ભારે પવન અને વરસાદના કારણે ઢળી પડતા ખેડૂતોની મહેનત ક્યાંકને ક્યાંક માથે પડે હોઈ તેવી શક્યતા ના પગલે ખેડૂતો હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હતા.જોકે ઉનાળામાં ચોમાસા જેવો અહેસાસ ખેડૂતોને થયો હોય પરંતુ આ કુદરતી આફત સામે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ભારે પવન સાથે આવેલ કમોસમી વરસાદે છીનવી લીધો હતો. સાદરા ગામના અરવિંદભાઈ માછી સહિતના ખેડૂતો ખેતી પાકમાં થયેલ નુકસાનને લઈને રાજ્ય સરકાર સહાયનું પેકેજ જાહેર કરે તેવી આશા અપેક્ષા રાખી રહ્યા હતા જોકે આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી પાકવળતરની સહાય જાહેર કરે તેવી આશા ખેડૂતો રાખી રહયા હતા.જ્યારે મીની વાવાઝોડા ના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર વૃક્ષો પડી જવાના બનાવો બનવા સાથે ઘણા બધા ગામોમાં રાત્રિ દરમિયાન લાઈટો ગુલ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વધારે માહિતી માટે અમારી વેબસાઇટ ને ચેક કરો samaysandeshnews

 

rajesh rathod
Author: rajesh rathod

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?