Latest News
જામનગરના વ્યાપારીઓનું દુઃખ: “નો હોકિંગ ઝોન” હુકમ હોવા છતાં ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહીનો અભાવ શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ બંધથી રોજગાર ગુમાવનારા વેપારીઓમાં રોષ – ધારાસભ્ય પબુભા માણેકે આપ્યું ત્વરિત નિરાકરણનું આશ્વાસન દિવાળી પહેલા સમી પોલીસે ફોડ્યો દારૂનો મોટો જથ્થો: સ્વીફ્ટ કારમાંથી રૂ. ૬.૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે, બે ઇસમોની ધરપકડ – રાજસ્થાન કનેક્શનથી ખળભળાટ સ્ટાર્સથી ઝગમગતી રાત: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલીવુડના ચમકતા તારાઓની હાજરીથી ઉજાસ છવાયો મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં તા અંબાણીનો ગ્લેમરસ લુક છવાઈ ગયો: ₹17 કરોડની હીરાજડિત હર્મેસ બેગ બની રાત્રિની શોભા લાડકી બહિણ યોજનામાં e-KYCનો નવો નિયમ: પૈસા બંધ ન થાય તે માટે દરેક બહિણે રાખવી પડશે સાવચેતી, નહીં તો દોષ ગણાશે પોતાનો

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત
હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

 

હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા સોસાયટીમાં વર્ષોવર્ષ ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોઇ રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.જે સમસ્યા હલ કરવા 20 દિવસ અગાઉ પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી પણ હજુ સમસ્યા હલ નહીં થતા સોસાયટીના રહીશો સત્વરે ભૂગર્ભ પાઇપ લાઈનમાં વરસાદી પાણી નિકાલ નું આયોજન કરે તે જરૂરી બન્યું છે.

હારિજના ઝાપટપુરથી જલિયાણ ચોકડી થી શીવવિલા સોસાયટીમાં અગાઉ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર બનાવી હતી જે ચેમ્બર માટી નાખીને બુરાણ કરી દેવામાં આવી છે. હાલના સમયે હવામાન ખતાની આગાહીના પગલે કમોસમી વરસાદ પડતા ચોમાસા પહેલાજ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે.તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ બંધ થઇ જતા.શિવવિલા સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

શિવવીલા સોસાયટીના રહીશોએ 20 દિવસ અગાઉ પણ પાલિકા ને લેખિત રજુઆત કરી હતી.તેમજ આજદિન સુધી શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ચેમ્બર કોઈ કામમાં આવી નથી .તો સત્વરે તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે એવી શિવવિલા સોસાયટી ના રાહીશોની માંગ ઉઠી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?