Latest News
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા પર વિવાદ: પરિવાર પાસેથી ખર્ચ વસૂલ્યો હોવાના દાવા સામે રાજકીય ભૂકંપ મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨ નાગપુરમાં વિકાસનો નવો માઇલસ્ટોન: રૂ. 191 કરોડના ખર્ચે જ્ઞાનયોગી ડૉ. શ્રીકાંત જીચકર ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિક જામ અને અકસ્માતોથી રાહત શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર યવતમાળમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અને વિકાસ કાર્યોનો ભવ્ય ઉદ્ઘાટન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકકલ્યાણનો મંગલપ્રયાસ

જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જામનગર તા.૧૭ મે, જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા તથા હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો ધ્યાને લઇ આયોજનબદ્ધ કામગીરી કરવા કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

આ બેઠકમાં અગાઉના પડતર પશ્નો અંગે ચર્ચા કરી બેઠકમાં રજુ થયેલા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો જેમાં જમીન માપણી અંગેના પ્રશ્નો, વીજ વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા અંગે, રોડ રસ્તાઓ તથા બ્રીજ બનાવવાના કામો અને તેનું હાલનું સ્ટેટ્સ, સિંચાઈ વિભાગ,બી.એસ.એન.એલ., જી.એસ.આર.ટી.સી., જમીન શાખા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરીને લગત પ્રશ્ન, જમીન શાખા, ફોજદારી શાખા, જીલ્લા પંચાયતને લગત પ્રશ્નો, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ, કોર્પોરેશન વગેરેને લગત પ્રશ્નો અને લોકોની રજુઆતો અંગે જન પ્રતિનિધિશ્રીઓએ ચર્ચા કરી હતી.

https://www.instagram.com/samay__sandesh/

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના સભ્યોને સૂચન કરતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિશ્રીઓ તથા લોકો તરફથી આવેલી રજુઆતો ધ્યાને લઇ કામોને અગ્રતા આપી તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવામાં આવે. તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા જણાવ્યુ હતું. આ બેઠકમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી, પ્રિ-મોન્સુન કામગીરી અંગે લગત વિભાગોએ એક્શન પ્લાન તૈયાર કરવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જીલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.સુનીલ કુમાર બેરવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર સહિત સંકલન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?