Latest News
₹24,634 કરોડના ચાર મહત્ત્વાકાંક્ષી રેલ્વે પ્રોજેક્ટ્સને કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી — મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના વિકાસને મળશે નવો ગતિમાર્ગ “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે જામનગરમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ લીધી “ભારત વિકાસ પ્રતિજ્ઞા” — રાષ્ટ્રનિર્માણ માટે મન, વચન અને કર્મથી કાર્યરત રહેવાનો સંકલ્પ જામનગર ટાઉનહોલમાં ઝળહળ્યો “પોષણ ઉત્સવ – ૨૦૨૫” : મહિલાઓ અને બાળકોના આરોગ્યને સમર્પિત અનોખું આયોજન, ઝોન કક્ષાના વિજેતાઓને ઇનામો અર્પાયા શિયાળાની ઠંડી પવન સાથે ખીજડીયા પક્ષી અભ્યારણમાં જીવન ફરી ખીલી ઉઠ્યું — આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું, હજારો પાંખધરાં મહેમાનોના સ્વાગત માટે કુદરત તૈયાર વોટ ચોરી સામે કોંગ્રેસની તીખી ઝુંબેશઃ જામનગર શહેરના વોર્ડ નં. 12માં સહી અભિયાનને નાગરિકોનો ઊર્જાસભર પ્રતિસાદ, લોકશાહી જાળવવા કોંગ્રેસનું જનજાગૃતિ અભિયાન વેગ પકડ્યું લીલા નિશાન સાથે આજના શેરબજારનો પ્રારંભઃ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, ટાટા સ્ટીલ-એલએન્ડટી તેજ, ટ્રેન્ટમાં ઘટાડો

જામનગરના રસ્તાઓમાં છુપાયેલો “અદૃશ્ય ખજાનો”: મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!

જામનગરના રસ્તાઓમાં છુપાયેલો "અદૃશ્ય ખજાનો": મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!

જામનગર શહેર હવે એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે – “સદાબહાર ખોદકામ યાત્રા”! શહેરની વિવિધ જાહેર જગ્યા અને માર્ગો પર દિવસ-રાત ચાલતા ખોદકામના કારણે હવે સ્થાનિક નાગરિકોમાં એક પ્રકારની “ઇમ્યુનિટી” આવી ગઈ છે. ખાડા, ભુવા અને અર્ધવટ્ટી કામગિરી હવે નજારાની સાથે જીવનશૈલી બની ગઈ છે.

જામનગરના રસ્તાઓમાં છુપાયેલો "અદૃશ્ય ખજાનો": મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!
જામનગરના રસ્તાઓમાં છુપાયેલો “અદૃશ્ય ખજાનો”: મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!

અત્યાર સુધી તો લોકો માની રહ્યા હતા કે મનપા કોઈ ગેરમાર્ગે દોરાયેલા કામગીરીમાં વ્યસ્ત છે, પણ હવે નવા ખુલાસાથી સિદ્ધ થયું છે કે જામનગરના નીચે ક્યાંક અઢળક ધનધાન્ય ભરેલું પ્રાચીન ખજાનો છુપાયેલો છે! જેનો નકશો મળ્યો નથી, એટલે મનપા હવે શહેરના દરેક રસ્તા અને નાકાની નીચે શોધખોળ ચલાવી રહી છે – કદાચ ક્યારેક કંઈક મળે!

જાહેર જનતાને મહત્વની સૂચના:

  • કોઈ પણ નાગરિકે રસ્તાના ખાડા કે ખોદકામ અંગે ફરિયાદ ન કરવી.

  • મનપાની કાર્યપદ્ધતિને વિઘ્ન ન પાડવો.

  • ખજાનો મળ્યા બાદ જ્યાં-જ્યાં ખોદકામ થયું છે ત્યાં સ્મારક બોર્ડ મૂકવામાં આવશે કે: “આ ખાડામાંથી ખજાનો નહોતો મળ્યો. ફરી પ્રયાસ કરો.

ખાસ નોંધ:

જે માર્ગ એક વખત ખોદાઈ ગયો હોય, ત્યાં ફરીથી ખોદકામ થવું એ શંકા કે નિષ્ફળતા નહિ પણ “વિજ્ઞાનસપેત અન્વેષણ” છે. मनपा આ ખજાનાને દેશની આંતરિક સંપત્તિ ગણાવી રહી છે, જેથી ભવિષ્યમાં UNESCOના વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ માટે અરજી પણ કરવામાં આવશે.

અંતે…

જામનગરના નાગરિકો હવે ખાડાને રસ્તો સમજીને ચાલે છે અને રસ્તાને ખાડો. આ નવી માનસિકતા માટે મનપા આખા શહેરનો આભાર વ્યક્ત કરે છે અને જલ્દી જ ખજાનો મળ્યા બાદ “મનપા ખોદકામ વિજય યાત્રા”નું આયોજન પણ કરવાનું વિચારી રહી છે.

હવે તો એ જ કહેવાય:
“ખોદ્યું જામનગર, મળ્યો ખાલીગર – છતાં હજી આશા ગગનચુંબી છે!”

જાહેર જનતાને સહકાર આપવા બદલ દિલથી આભાર! ….

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

“વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે જામનગરમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ લીધી “ભારત વિકાસ પ્રતિજ્ઞા” — રાષ્ટ્રનિર્માણ માટે મન, વચન અને કર્મથી કાર્યરત રહેવાનો સંકલ્પ

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?