Latest News
રાજસ્થાનમાં નામફેરફારનો ઐતિહાસિક નિર્ણય : માઉન્ટ આબુ બન્યું ‘આબુ રાજ’, જહાજપુર ‘યજ્ઞપુર’ અને કામાં ‘કામવન’ સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં સરકારનું મોટું પગલું. મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ૩૨ કલાકનો ટ્રાફિક કટોકટી બાદ સરકાર જાગી ગૅસ-ટૅન્કર દુર્ઘટનાના પુનરાવર્તનને રોકવા એરલિફ્ટ, SOP અને ડેન્જરસ રિસ્પૉન્સ યુનિટનો વ્યાપક પ્લાન. ધુમ્મસમાં ઉતરાણની મંજૂરી કેમ? અજિત પવાર વિમાન દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલે ઊભા કર્યા ગંભીર સવાલો VFR નિયમોના ઉલ્લંઘનથી અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ સુધીની ખામીઓ બહાર, અંતિમ અહેવાલ માટે CVR ડેટાની રાહ. મુંબઈના ટ્રાફિકને મળશે ‘સ્માર્ટ દિમાગ’ – AI આધારિત મેનેજમેન્ટ પ્લાન પર સરકાર ગંભીર BKCથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી જૅમ ઘટાડવા ટેક્નોલોજીનો સહારો, પોલીસ-BMCને તાત્કાલિક સૂચના. ‘ગોરી મેડમ, સેલ્ફી પ્લીઝ’ – મુંબઈની સડક પર વિદેશી યુવતીનો 15 મિનિટ સુધી પીછો વાઇરલ વિડિયો બાદ પોલીસ હરકતમાં, આગ્રીપાડા પોલીસે બે અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો. મૉન્સૂન પહેલાં થાણેમાં ખાડામુક્ત રસ્તા બનાવવાના કડક આદેશ – શિંદેનો અલ્ટીમેટમ મે અંત સુધી પૅચવર્ક પૂર્ણ કરો, જોખમી ઇમારતોનું સર્વેક્ષણ તાત્કાલિક – વહીવટી તંત્ર અલર્ટ મોડમાં.

દિવ્યાંગ બાળકોના શાળાપ્રવેશનો ભવ્યોત્સવ: ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ૩૪ બાળકોને શિક્ષણના સોનેરી માર્ગે પ્રવેશ અપાવ્યો

દિવ્યાંગ બાળકોના શાળાપ્રવેશનો ભવ્યોત્સવ: ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ૩૪ બાળકોને શિક્ષણના સોનેરી માર્ગે પ્રવેશ અપાવ્યો

ગાંધીનગર,
“સૌ ભણે, સૌ આગળ વધે”ના પાવન સંકલ્પ સાથે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ભવ્ય અને અર્થપૂર્ણ બની રહી છે. આ ભાવનાપૂર્વકના અભિયાન અંતર્ગત આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે આવેલા સમર્પણ મૂકબંધ શિશુ વિદ્યામંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈને દિવ્યાંગતા ધરાવતા કુલ ૩૪ બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને તેમના ભવિષ્યના આકાશમાં આશાની દીવો પ્રગટાવ્યો હતો.

દિવ્યાંગ બાળકોના શાળાપ્રવેશનો ભવ્યોત્સવ: ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ૩૪ બાળકોને શિક્ષણના સોનેરી માર્ગે પ્રવેશ અપાવ્યો
દિવ્યાંગ બાળકોના શાળાપ્રવેશનો ભવ્યોત્સવ: ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ૩૪ બાળકોને શિક્ષણના સોનેરી માર્ગે પ્રવેશ અપાવ્યો

શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે સૌની જવાબદારી – મંત્રીશ્રીનો સંદેશ

દિવ્યાંગ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યા પછી મંત્રીશ્રીએ જણાવ્યું કે, “શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં પરંતુ આપણા સમાજની સહિયારી જવાબદારી છે.” તેઓએ વધુમાં ઉમેર્યું કે, દિવ્યાંગ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવાના અને તેમને સમાજમાં સશક્ત બનાવવાના પ્રયત્નો સાથે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટીબદ્ધ છે.

શિક્ષકોની સરાહના: દિવ્યાંગ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રની મજબૂત પાયી ભુમિકા

ભાનુબેન બાબરીયાએ દિવ્યાંગ શાળાઓના શિક્ષકોની પ્રસંશા કરતાં જણાવ્યું કે, “દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવું માત્ર એક વ્યવસાય નહિ પરંતુ માનવતાની સેવા છે.” આવા શિક્ષકો બાળકોના માનસને સમજવા અને તેમને સમાજ સાથે જોડવા જે દ્રષ્ટિકોણ રાખે છે તે ભાવિ પેઢી માટે આધારશિલા રૂપ છે.

રાજ્યમાં ૧૩૦થી વધુ દિવ્યાંગ શાળાઓ

મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે હાલમાં ૧૨૮ શાળાઓ કાર્યરત છે. એક શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવી શકે છે. “વર્ગનું કાળું પાટિયું દિવ્યાંગ બાળકોના જીવનમાં આશા અને પ્રકાશ ફેલાવવાનું સાધન બની શકે છે,” એમ પણ તેઓએ ભાવભીનાં શબ્દોમાં જણાવ્યું.

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષારોપણ

આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીએ વિશેષ સન્માન આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સાથે સાથે તેઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની લાગણી પણ વ્યક્ત કરી. શાળાના પરિસરમાં હાજર વાલીઓ સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ સાધ્યો અને બાળકોના ભવિષ્ય માટે પોતાના આશીર્વાદ પાઠવ્યા.

ઉપસ્થિત મહાનુભાવો અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ

આ ભાવિ પેઢી માટે ઉજવાયેલા આ શાળાપ્રવેશ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, સચિવ શ્રી મોહમ્મદ શાહી અને સમાજ સુરક્ષા નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક સંવેદનશીલ અને માનવિય ઉદાહરણ

દિવ્યાંગ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા આવી પ્રકારના શાળાપ્રવેશ કાર્યક્રમો માત્ર પ્રવેશ નથી, પરંતુ તેમની આત્મસન્માનપૂર્ણ મુસાફરીની શરૂઆત છે. આજના કાર્યક્રમે એવી દૃઢ નિશાની આપી કે, દિવ્યાંગતા માત્ર શારીરિક ક્ષમતા નહીં પરંતુ સમાજના સંવેદનશીલ વલણથી ઊંચી થઇ શકે છે.

આવી ઘટનાઓ સામાજિક ન્યાયના સત્યાર્થ ને ઉંડાણ આપે છે અને “સૌ ભણે, સૌ આગળ વધે” જેવા સંકલ્પોને ખરા અર્થમાં જીવંત બનાવે છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાજસ્થાનમાં નામફેરફારનો ઐતિહાસિક નિર્ણય : માઉન્ટ આબુ બન્યું ‘આબુ રાજ’, જહાજપુર ‘યજ્ઞપુર’ અને કામાં ‘કામવન’ સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં સરકારનું મોટું પગલું.

ધુમ્મસમાં ઉતરાણની મંજૂરી કેમ? અજિત પવાર વિમાન દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલે ઊભા કર્યા ગંભીર સવાલો VFR નિયમોના ઉલ્લંઘનથી અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ સુધીની ખામીઓ બહાર, અંતિમ અહેવાલ માટે CVR ડેટાની રાહ.

શુ તમને ચૂંટણીમા રસ છે. ?