Latest News
સરહદી ગામથી દેશની સર્વોચ્ચ સેવામાં: હમીરપુરાના વિપુલ ચૌધરી 115મા રેન્ક સાથે બન્યા IAS, સંઘર્ષ અને ધીરજની પ્રેરણાદાયી કહાની. ટિકિટ વિના મુસાફરી પર રેલવેની કડક કાર્યવાહી: સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ એક વર્ષમાં રૂ. 262 કરોડનો દંડ વસૂલ કર્યો. સમિયાણી ટાપુ નજીક મધદરિયામાં માછીમારી બોટમાં આગનો કહેર: ઓખા મરીન પોલીસની સમયસૂચક કામગીરીથી તમામ ખલાસીઓ સુરક્ષિત બચાવાયા. તાતીથૈયા–સાંકી નહેર કિનારે ગેરકાયદેસર કચરાના નિકાલથી પ્રદૂષણનો કહેર: ઝેરી ધુમાડાથી ગ્રામજનો અને પશુધનના આરોગ્ય પર ગંભીર જોખમ. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ – સુલતાનપુરની શ્રી માધ્યમિક શાળામાં ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ સાથે લાઈવ ડેમો યોજાયો. મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ – વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મનોજ રાઠોડનો સંદેશ.

જામનગરની નરાધમતા : પતિએ ગર્ભમાં રહેલી બાળકીની જાતે જીવ લીધી!

જામનગરની નરાધમતા : પતિએ ગર્ભમાં રહેલી બાળકીની જાતે જીવ લીધી!

ગર્ભવતી પત્નીને બેફામ માર મારતા ગર્ભમાંની પાંચ માસની બાળકીના મોતથી ગુલાબનગરમાં હાહાકાર

જામનગર, 16 જુલાઈ: એક તરફ ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ જામનગરમાંથી એક એવો અશ્વર્યદાયક અને માનવતાને શરમાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક નરાધમ પતિએ પોતાની ગર્ભવતી પત્ની પર એટલી ક્રૂરતા દાખવી કે ગર્ભમાં ફરકતી બાળકીને જ મૃત્યુ પામવી પડી.

આ હૃદયવિદારક ઘટનાને લઈને જામનગરના ગુલાબનગર અને આસપાસના વિસ્તારોમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આરોપી પતિ વિરુદ્ધ IPC ની કડક કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

🔹 ગર્ભમાંનું બાળક મારથી થયો મોત!

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રભાતનગરમાં રહેતી 31 વર્ષની મનિષાબેન લક્ષ્મણભાઈ સોલંકી નામની પરિણીતાએ પોતાનું દુઃખ પીડા સાથે પોલીસને જણાવી છે. તેણીએ આપેલા પુલિસ ફરીયાદ પ્રમાણે, 14મી જુલાઈના રોજ બપોરે લગભગ 2 વાગ્યે, રસોડામાં શાક બળી જતાં તેની પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી ઉશ્કેરાઈ ગયો હતો.

પત્ની કહે છે, “પતિએ પહેલા મારો માથામાં તપેલું ફેંકી માર્યું, ત્યારબાદ સાવરણીથી મારા પેટ પર સતત માર મારતો રહ્યો અને પછી ધક્કો મારીને મને જમીન પર પછાડી દીધી.” તેણી પાંચ માસની ગર્ભવતી હતી, અને આ ભયાનક હુમલાના કારણે ગર્ભમાં રહેલી બાળકીનું મોત નીપજ્યું છે.

🔹 ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો

આ ઘટનાની ગુન્હેદાર વિગતોના આધારે સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 92 (ગંભીર ઇજા) અને કલમ 115(2) (ગર્ભમાં રહેલા બાળકના મોત માટે જવાબદાર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને તેની ધરપકડ માટે પ્રયાસ શરૂ કર્યા છે.

🔹 સમાજમાં નરાધમ પતિ સામે ફીટકાર

આ ચકચારી ઘટનાએ સમગ્ર ગુલાબનગર અને આસપાસના વિસ્તારમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. નરાધમ પતિની કરતૂતો સામે સ્થાનિક મહિલાઓ અને યુવાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. મહિલાઓના હક્ક અને ગર્ભમાં રહેલી નારી જાતિ સામે કરવામાં આવેલી આ ક્રૂરતા સામે લોકો રાજ્ય સરકાર અને ન્યાયિક તંત્ર પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

🔹 માનસિક અને શારીરિક પીડા ભોગવતી પીડિતા

અત્યારે મનિષાબેન સોલંકી શારીરિક રીતે ઈજાગ્રસ્ત અને માનસિક રીતે આઘાતગ્રસ્ત છે. તેનું સારવાર માટે હોસ્પિટલમાં ભરી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પીડિતાને પોલીસ અને મહિલા સક્ષમતા કેન્દ્ર દ્વારા પણ સહાય કરવામાં આવી રહી છે.

આ ઘટના એ સ્પષ્ટ સંકેત આપે છે કે આજે પણ ઘણા પરિવારોમાં સ્ત્રીઓને ગર્ભાવસ્થાની પવિત્રતામાં પણ માનવતાની નહીં પરંતુ ક્રૂરતાની સહનશીલતા વિકસાવવી પડે છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને ઉદાહરણરૂપ સજા થવી જોઈએ, જેથી સમાજમાં ભવિષ્યમાં કોઈ પણ મહિલાને આવી યાતના ભોગવવી ન પડે.

🔴 “ગર્ભમાં રહેલા જીવ સામે હાથ ઊંચકનાર પતિને કાયદો નહિ છોડે” – લોકોની માંગ.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?