જામનગર તા.૦૩ સપ્ટેમ્બર, જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરનાં આદેશ મુજબ કોરોના મહામારીમાં વાહનોના ફિટનેસ માટે સામાજિક અંતર જળવાઇ રહે તે હેતુથી આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લામાં તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ કાલાવડ ખાતે મુ. જી.ઇ.બી. ઓફીસની સામે, વાવડી રોડ, તા.૧૪/૦૯/૨૦૨૧ના રોજ ધ્રોલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલ પંપ પાસે તેમજ તા.૧૫/૦૯/૨૦૨૧ના રોજ લાલપુર અને જામજોધપુર ખાતે વાહનોના ફિટનેશ થશે.
ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.