Samay Sandesh News
ગુજરાતપાટણ

ઓમિક્રોન વેરિઅન્ટ વાયરેસના રોગ સામે જાગૃતતા લાવવા ચાણસ્મા મામલતદાર અને પી.આઈ. દ્ધારા અપીલ કરાઈ

ઓમિક્રોન વેરિઅન્ટને લઈને લોકોમાં જાગૃતતા લાવવા અને જાહેર જનતા ફરજીયાત પણે માસ્કનો ઉપયોગ કરી માસ્ક પહેરે તેવા સંદર્ભે પાટણ જીલ્લા પ્રસાશન દ્ધારા લોક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ લોક જાગૃતિ અભિયાન અંતગર્ત પાટણ જીલ્લાના તાલુકા મથક ચાણસ્મા શહેરમાં મામલતદાર અને પી.આઈ. દ્વારા ચાણસ્મા ના જાહેર સ્થળોને આવરી લઈ મુખ્ય બજારોમાં જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ આ લોક જાગૃતિ અભિયાન દરમ્યાન ચાણસ્મા મામલતદાર અને ચાણસ્મા પી.આઈ. દ્વારા રાહદારીઓ, વાહનચાલકો, અને વેપારીઓને ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસ બાબતે માર્ગ દર્શન પુરૂ પાડી મોઢા પર ફરજીયાત માસ્ક બાંધવા અપીલ કરી હતી આ ઉપરાંત તંત્રની અપીલનો અનાદર કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવુ ચાણસ્મા વહિવટી તંત્રએ વધુમાં જણાવ્યું હતું……!

Related posts

સાબરકાંઠા : હોટલ માઈલ સ્ટોન હિંમતનગર ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ જાગૃતિ અંગે વર્કશોપ યોજાયો

samaysandeshnews

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્ર જામનગર દ્વારા યોજાયેલ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં મહિલા અને બાળ વિભાગ દ્બારા ૧૨૧ ‘વ્હાલી દિકરી’ઓને હુકમો એનાયત કરાયા

samaysandeshnews

સુરતના જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત- નવસારી ટીમ નું સેવાકીય કાર્ય

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!