ભાણવડમાં તસ્કરોનો આતંક: ત્રણ પાટિયા ચેકપોસ્ટ પાસે દુકાનમાં ચોરી અને આગ, વેરાડ ગામે મંદિરમાં તોડફોડ – એક જ રાતમાં બે સ્થળે આગ લગાવતાં પોલીસ પર ગંભીર સવાલો
ભાણવડ તાલુકામાં એક જ રાત દરમિયાન બનેલી બે જુદી જુદી ચોરી અને આગ લગાવવાની ઘટનાઓએ સમગ્ર તાલુકામાં ભારે ચકચાર મચાવી છે. ત્રણ પાટિયા નજીક આવેલી દુકાન અને વેરાડ ગામના મંદિરને ટાર્ગેટ કરનાર તસ્કરો એટલા બેધડક હતા કે તેઓ પોલીસ ચેકપોસ્ટથી માત્ર 100 મીટર નજીક આવેલ સ્થળે પણ નિર્ભયતાથી ચોરી કરી ભાગી છૂટ્યા. આ ઉપરાંત તસ્કરોએ…