૨ સદી જૂના સુલતાનપુરના લક્ષ્મીનારાયણ મહામંદિરમાં ગોંડલ રાજવી પરિવારની શ્રદ્ધાભરી હાજરી : ઐતિહાસિક વારસાનું પુનઃસ્મરણ
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં આવેલું ૨૦૦ વર્ષ જૂનું લક્ષ્મીનારાયણ મંદિર માત્ર ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ગોંડલ રાજ્યના ગૌરવભર્યા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક છે. મહારાજા ભગવતસિંહજી બાપુ દ્વારા નિર્મિત આ મંદિર ગોંડલની રાજવી પરંપરા, કલા-વાસ્તુશિલ્પ અને ધાર્મિક આદરની સદી જુની પરંપરાને આજે પણ સમ્રાટ રીતે ઝળકાવતું રહે છે. સમયના ફેરબદલ વચ્ચે…