જામનગર–લાલપુર રાજ્ય માર્ગનું પુનર્જીવન શરૂ : 30 કિ.મી.ના હાઈવેના રિસર્ફેસિંગથી હજારો વાહનચાલકોને મળશે રાહત,માર્ગ અને મકાન વિભાગનું યુદ્ધસ્તરીય અભિયાન
ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં અને હવામાન સામાન્ય બનતાં જ જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગોના સમારકામ અને રિસર્ફેસિંગના કાર્યોને પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને લાલપુરથી ત્રણ પાટિયા સુધીના 30 કિ.મી.ના રાજ્ય ધોરીમાર્ગ પર નવી ડામરપટ્ટી અને માળખાકીય સુધારણા માટેનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરાયું છે. આ કામગીરીને કારણે જામનગર–દેવભૂમિ દ્વારકા…