માનવતાનું ઉદાત્ત ઉદાહરણ — જામનગરના મુકેશભાઈ બામભણીયાએ અંતિમ ક્ષણે જીવનનું અમૂલ્ય દાન આપી અનેક જીવોમાં નવજીવન ફૂંક્યું
જામનગર, તા. ૬ ઑક્ટોબર ૨૦૨૫ –માનવતાનું સાચું અર્થઘટન ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં પણ બીજાના જીવનને ઉજાગર કરવાની ભાવના સાથે કોઈ નિસ્વાર્થ કાર્ય કરે. આવા જ એક હૃદયસ્પર્શી અને માનવતાભર્યા પ્રસંગે જામનગર શહેરના નાગેશ્વર કોલોની, નદીકાથે સંતકુટિર સામે વસતા મુકેશભાઈ ભંજિભાઈ બામભણીયા (ઉંમર ૩૮ વર્ષ)એ અંતિમ ક્ષણે અંગદાન કરી અનેક…