દેવભૂમિ દ્વારકામાં આદિજાતિ ગૌરવનો અવસર: મોખાણા ગામે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે ભવ્ય ઉજવણી, 650 લાખના 209 વિકાસકાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ અને આદિવાસી ગૌરવના અદમ્ય પ્રતીક એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે સમગ્ર દેશમાં ઊજવવામાં આવી રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે ભાણવડ તાલુકાના મોખાણા ગામે રબારી સમાજ વાડી ખાતે વિશાળ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની ભવ્યતા, જનસમૂહનો ઉત્સાહ અને…