Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ધ્રોલ તાલુકામાં ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર : જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ધ્રોલ તાલુકામાં ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર : સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જે અન્વયે, જામનગરના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 20 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સુરક્ષા, ખેતીની જમીન, ગૌશાળાની જમીન, રસ્તા, ભૂગર્ભ ગટરની સફાઈ, પીવાનું પાણી, પ્રોપર્ટી કાર્ડ, ટેન્કરની સમસ્યા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ અંગેના પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ જાતે જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. તેમજ અરજદારોને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી વી. ડી. સાકરીયા, મામલતદાર શ્રી એ. એસ. ઝાંપડા, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

samaysandeshnews

ગુજરાત સરકારે છેલ્લા 9 વર્ષમાં કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી

cradmin

સાવલીમાં અરબી ઉર્દુ કુરાન શરીફ ની તિલાવત પ્રાપ્ત કરનાર 2 હાફિઝ ને પદવી એનાયત કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!