ભાવનગર : ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા કાપતાં ફર્લો રજા ઉપરથી ફરાર પાકા કામનાં કેદીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમા તથા પો.કો. ઇમ્તિયાઝખાન પઠાણને ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ પાકા કામનાં કેદી અમદાવાદ ખાતે હોવાની મળેલ માહિતી આધારે અમદાવાદ ખાતે તપાસ કરતાં ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૧૪/૨૦૦૫ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી ભરત ગોરધનદાસ વલેચા ઉ.વ.૩૮ રહે.મફતનગર,બ્રહ્મકુમારીની બાજુમાં,રંગભવન હોલની સામે, સીંધુનગર, ભાવનગરવાળા મળી આવતાં તેને ઝડપી હસ્તગત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા, વિઠ્ઠલભાઇ બારૈયા, ચંદ્દસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા