ભાવનગર : આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત સાશનને 9 વર્ષ પૂર્ણ થયા
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત સાશનને 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશની જનતાને સ્પર્શતા અનેકવિધ વિકાસ કાર્યોની વાત જનજન સુધી પહોંચાડવા આગામી સમયમાં ઘર ઘર સંપર્ક અભિયાન ચાલવાનું છે ત્યારે તેના ભાગરૂપે આજરોજ આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળામાં વર્ચ્યુઅલી અટલ બિહારી બાજપાઈ હોલ મોતીબાગ ટાઉન હોલ ખાતેથી જોડાઈ માર્ગદર્શન મેળવ્યું અને શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ વર્કશોપમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ શાહ, મેયર શ્રી કિર્તીબાળાબેન દાણીધારીયા, શહેર મહામંત્રી શ્રી પાર્થભાઈ ગોંડલીયા, શ્રી અલ્પેશભાઈ પટેલ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી ધીરૂભાઇ ધામેલીયા, વિસ્તારક શ્રી ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, શહેર સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, નગરસેવકો, ભાવનગર (પશ્ચિમ) વિધાનસભાના વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ અને વિસ્તારકો ઉપસ્થિત રહ્યા