જામનગર : કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી
ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, નવા વીજ જોડાણની કાર્યવાહી કરવી, વીજવાયરો બદલવા સહિતની કામગીરી કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેકટરશ્રી બી. એ.શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોયતો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં વાકીયા ગામે સ્મશાનમાં વીજ કનેક્શન આપવું, નાઘુના ગામે ટી.સી. સિફટિંગ કરવું, આમરા ગામે થ્રી ફેઈઝ કનેક્શનની માંગ મુજબ નિયમોનુસાર થ્રી ફેઇઝની લાઇન નાખવી, ટીસી તથા થ્રી ફેઇઝના મીટર નાખવાની કામગીરી કરવી, જે ખેડૂતોએ ટીસી સિફટિંગ અને લોડ વધારા અંગેની અરજી કરી હોય તેઓને ટીઆર ભરાવીને માંગણી મુજબ કાર્યવાહી કરવી, ગોરધનપર ગામે ગોવર્ધન સોસાયટીમાં રહેણાંક મકાનો વધુ આવેલા હોવાથી મોટું ટીસી નાખવું, વાગડીયા ગામે નવી વસાહત હોય ત્યાં જ્યોતિ લાઇટના કનેક્શન આપવા, રણજીતપર ગામે 66 કેવી મંજૂર કરવું સહિતની કામગીરી કરવા પર તેમજ અરજીઓનો ચોમાસા પહેલા નિકાલ કરીને કામગીરી પૂર્ણ થાય તે દિશામાં સુચારું આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીશ્રીએ પીજીવીસીએલના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી. એન. ખેર, પીજીવીસીએલના એમડી અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.