જામનગર : ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર તા.01,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી સાથે આ તકે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર શ્રી બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતા.