Corona: સુરત મહાનગરપાલિકાએ એરપોર્ટ પર કોરોનાં ટેસ્ટિંગ કાઉન્ટર ગોઠવ્યું: કોરોનાવાયરસનો બીએફ7 વેરિયન્ટે ચીનમાં તબાહી મચાવી છે અને હવે ગુજરાત અને ઓરિસ્સામાંથી પણ કોરોનાવાયરસનાં નવાં વેરિયન્ટ
BF.7ના કેસ મનવાંઆવ્યાં છે ત્યારે એરપોર્ટ પરથી કોઈ સંક્રમિત વ્યક્તિ શહેરમાં નાં પ્રવેશી શકે તે માટે મહત્વનું પગલું ભર્યું છે.તેને પગલે સુરત એરપોર્ટ પર સુરત મહાનગરપાલિકાએ RT-PCR ટેસ્ટિંગ કાઉન્ટર ગોઠવ્યું છે.કોરોના સામેની લડતના
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ભાગરૂપે સુરત કોર્પોરેશને આ પગલું ભર્યું છે, અને છેલ્લાં થોડાક દિવસોમાં સુરતમાં એકેય કેસ મળ્યાં નથી.સુરત એરપોર્ટ પર ઉભું કરાયેલ કાઉન્ટર પર ફ્રી ટેસ્ટિંગ હાથ ધરાશે, જો કે બધા પેસેન્જરનું ટેસ્ટિંગ નથી કરાઇ રહ્યું, 2 ટકા લોકોને રેન્ડમલી સિલેક્ટ કરી
Read more:- ધંધુકા ના ચુટાયેલ ભાજપ ના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્રારા ધંધુકા ના મતદારો નો ઋુણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો…
તેમનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ઉપરાંત સ્થાનિક પ્રવાસીઓ માટે સ્વૈચ્છિક હશે તેમના માટે ફરજીયાત ટેસ્ટિંગ નથી.હેલ્થ ઑફિસરે જણાવ્યું, “જો પ્રવાસીમાં કોરોનાવાયરસ પોઝિટિવ જણાય તો જીનોમ સિક્વન્સિંગ માટે તેમનાં સેમ્પલ મોકલવામાં આવશે. તથા જો વધુ સારવાર અથવા ટેસ્ટિંગની જરૂર જણાશે તો તે પણ કરશું અને પ્રવાસીનો ટ્રેક પણ અમે રાખશું.”સુરત મહાનગરપાલિકાનાં સ્વાસ્થ્ય વિબાગના 4 સભ્યોની ટીમ 24 કલાક માટે એરપોર્ટ પર ગોઠવેલા ટેસ્ટિંગ કાઉન્ટરે ડ્યૂટી પર રહેશે. ટીમમાં એક લેબ ટેક્નિશિયન, એક નર્સ, એક સેનિટરી ઈન્સપેક્ટર અને એક હેલ્પર હશે. ત્રણ શિફ્ટમાં ચાર સભ્યોની આ ટીમ 24 કલાક એરપોર્ટ પરનાં કાઉન્ટર સેન્ટરે કાર્ય કરશે.
આ દરમિયાન શનિવારે સુરત મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ SMIMER હોસ્પિટલ ખાતે ઑક્સિજન ટેન્કની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. સરકારનાં દિશાનિર્દેશો મુજબ હોસ્પિટલ બેડ્સ, વેંટીલેટર્સ અને જરૂરી દવાઓ સરકારી દવાખાને તૈયાર રાખવામાં આવી રહી છે.