Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

આપ’ના ચૈતર વસાવાના પ્રશ્નના ઉત્તરમાં વનમંત્રી મૂળુભાઈ બેરા થોથવાયા

આપ’ના ચૈતર વસાવાના પ્રશ્નના ઉત્તરમાં વનમંત્રી મૂળુભાઈ બેરા થોથવાયા

આમઆદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યો ગૃહમાં મુદ્દાસર અને પોતાના મતવિસ્તારની સમસ્યાઓના ઉકેલ માટે સરકારને પ્રશ્ન પૂછવા માટે હંમેશા સક્રિય રહેતાં જોવા મળ્યા. પહેલી વખત ચૂંટાઇને ગૃહમાં આવ્યા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

હોવા છતાં મતવિસ્તારની સમસ્યાઓ, કયા વિભાગના મંત્રીને ક્યારે પૂછવી તેનાથી જાણકાર હોવાથી તક મળતાં પ્રશ્ન પૂછીને મંત્રી પાસેથી ઉત્તર મેળવવાનો પ્રયાસ કરતાં રહે છે. આ જ કારણે ચૈતર વસાવા એમના દાહોદ જિલ્લાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની લાંબા સમયથી તૈયાર થઇને પડી રહેલી બિલ્ડિંગમાં ચાલુ થઇ ગઇ. આ જ રીતે આજે ડાંગ જિલ્લાના વનીકરણ અંગે પૂછાયેલા પ્રશ્નમાં પૂરક પ્રશ્ન ઉપસ્થિત કરી જાણકારી માગી કે વનીકરણ હેઠળ કેવા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાય છે અને એના રોપા જીવતા રહે એના માટે પ્રયાસો શું થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં વનમંત્રી મૂળુભાઈ બેરા જવાબ આપી શક્યા નહોતા. સચિવો દીર્ઘામાંથી ચિઠ્ઠી આવ્યા પછી એમણે ઉત્તર વાળવા પ્રયાસ કર્યો હતો. શાસક પક્ષના સભ્યોના પૂરક પ્રશ્નોના ઉત્તરમાં પણ મંત્રી ગોથે ચડતા છેવટે અધ્યક્ષ શંકર ચૌધરીએ ટકોર કરી કે, મંત્રી.તમારો જવાબ અને પ્રશ્ન અલગ છે! એમને વિગતો પછીથી પહોંચાડશો અને સભ્ય પ્રશ્ન પૂછે ત્યારે લખી રાખશો તો જવાબ આપવામાં સરળતા રહેશે

Related posts

ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ‘ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી. સેવ લાઈવ્ઝ’ થીમ પર વિશ્વ ક્ષય દિવસની ઉજવણી

samaysandeshnews

વિધાનસભા ખાતે આયોજિત રાજ્ય યુવા સંસદમાં પ્રતિનિધિત્વ કરતો અક્ષય ગરૈયા

cradmin

જામનગર : આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જામજોધપુર ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઇ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!