Ministry: ધંધુકા ના ચુટાયેલ ભાજપ ના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્રારા ધંધુકા ના મતદારો નો ઋુણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો: જેમા ધંધુકા ના કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
ધંધુકા ના નવચુટાયેલ ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્રારા ધંધુકા ના મતદારો નો આભાર વ્યક્ત કરવા માટે નો આજરોજ કાર્યક્રમ ધંધુકા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ધંધુકા પંથક ના કાર્યકરો તથા દરેક સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ કાર્યક્રમ ની શરુઆત ભારતના પુર્વ વડાપ્રધાન અટલબીહારી વાજપાઈ ની જન્મજયંતિ પર તેઓને પુષ્પાંજલી અર્પી ને કરવામાં આવી હતી ત્યારબાદ ભારત ના હાલ ના વડાપ્રધાન નરેન્દ્રમોદી ની મનકી બાત કાર્યક્રમ દરેક ઉપસ્થિત કાર્યકરો દ્રારા સાંભળવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર ઋણ સ્વીકાર કાર્યક્રમ ની શરુઆત કરવામા આવી હતી.
Read more:- ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ…
આ પ્રસંગે ભાજપ ના પ્રદેશ ઉપાધ્યક્ષ અને અમદાવાદ જીલ્લા ના પ્રભારી વર્ષાબેન દોશી ની વિશેષ ઉપસ્થિતી જોવા મળી હતી તો આ પ્રસંગે જીલ્લા ભાજપ ના પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ તથા ધંધુકા ના બન્ને પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર અને ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ધોળકા ભાજપ ના નવચુટાયેલ ધારાસ્ભ્ય કિરીટ મોરી ની પણ ઉપસ્થિતી જોવા મળી હતી
આ પ્રંસંગે કાળુભાઈ ડાભીએ તેમના પર વિશ્વાસ રાખી ની તેમને જીત અપાવી છે માટે તેઓએ દરેક કાર્યકર નો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની પર વિશ્વાસ રાખી પ્રજાએ તેમને પોતાનો નેતા બનાવ્યો છે તો પોતે ધંધુકા મતવિસ્તાર ના દરેક અટકેલા કાર્યો પુરા કરીને સમગ્ર જનતા નો ઋણ ઉતારશે તેવુ કહેવામાં આવ્યુ હતુ.