જામજોધપુરમાં વ્યાજખોરીનો ભોગ બન્યો ખેડૂત યુવાન: ૩ લાખ ઉધાર લીધા બાદ ૧૪ લાખ ચૂકવ્યા છતાં વધુ ૯ લાખની માંગ, બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ.
જામનગર જિલ્લાના જામજોધપુર વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર અને રાક્ષસી વ્યાજખોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં રહેતા એક યુવાન ખેડૂત બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતા ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. પોતાની જરૂરિયાત માટે માત્ર ત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા બાદ ખેડૂતે મુદ્દલ અને વ્યાજ મળીને અત્યાર સુધીમાં લગભગ ચૌદ લાખ રૂપિયા…