ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે માવઠાનો પ્રહારો: પરિક્રમા માર્ગ ધોવાતા તંત્ર ચેતી ગયું, જિલ્લા કલેક્ટરની તાત્કાલિક અપીલ – ભક્તોને ધીરજ રાખવા અનુરોધ
જૂનાગઢ – પ્રાચીન ગિરનાર પર્વતની પવિત્ર ધરતી પર દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા માત્ર ધાર્મિક નહીં પરંતુ કુદરત સાથેનું એક જીવંત જોડાણ છે. ભક્તિ, પર્યાવરણ અને આધ્યાત્મનો આ અદ્વિતીય મેળાવડો દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓને ગિરનારના ચરણોમાં આકર્ષે છે. પરંતુ આ વર્ષે અચાનક પડેલા કમોસમી વરસાદે પરિક્રમા પૂર્વે જ માહોલમાં ચિંતા ફેલાવી દીધી છે. તાજેતરના વરસાદથી…