Samay Sandesh News
General Newsindiaગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસીક બેઠક યોજાઇ

જામનગર: જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસીક બેઠક યોજાઇ: માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રૂ.૧૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ.
                                                                                                                                                                                                                                      જામનગર તા.૧૮ સપ્ટેમ્બર, શ્રી બી.એ.શાહ જિલ્લા કલેક્ટર અને પ્રમુખશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક,  અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટરશ્રી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલે “સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ” અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે તા.૦૧/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૮/૨૦૨૩ સુધીમાં ૪૮ પરિવારોને રૂ.૯,૦૩,૦૫૦ ની માસીક આર્થીક સહાય, ૦૨ પરિવારોને રૂ.૫૫,૦૦૦ દિકરી લગ્ન સહાય તેમજ ૦૭ પરિવારોને અંતીમ ક્રિયા સહાય પેટે રૂ.૭૦ હજાર મળી કુલ ૧૦,૨૮,૦૫૦ ની સહાય ચુકવવામાં આવેલ છે.
ઉક્ત બેઠકમાં કલેક્ટરશ્રીએ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, નેવી અને એર ફોર્સના અધિકારીશ્રીઓ તથા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એર ફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખશ્રી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Surendranagar: પાટડીના એક ધાર્મિક ક્રાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનની ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો

cradmin

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો હેતુ ભાવનાત્મક ઐક્ય સાધી રાષ્ટ્રનિર્માણનો છે-એડીશનલ ડાયરેકટર જનરલશ્રી ડૉ. ધીરજ કાકડિયા

samaysandeshnews

જામનગર ગ્રામ્યના વીજ પ્રશ્નોને નિવારવા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!