Samay Sandesh News
અન્યટેકનોલોજીટોપ ન્યૂઝશહેર

Tecnology: આપણે મોબાઇલ નંબર બદલીએ છીએ, તો આપણું શું નુકસાન.

Tecnology: આપણે મોબાઇલ નંબર બદલીએ છીએ, તો આપણું શું નુકસાન: તાજેતરમાં એક મહિલાના બેંક ખાતામાંથી રૂ.8,16,000/- ગાયબ થઈ ગયા હતા.

આ બનાવ કેવી રીતે બન્યો???

1. મહિલાએ જે મોબાઈલ નંબર તેના બેંક ખાતા સાથે લિંક કર્યો હતો. તે નંબરનો તેણીએ 4 વર્ષથી ઉપયોગ કર્યો ન હતો.
તેમજ તેના KYCમાંથી તેને કાઢી નાખવા માટે બેંકને કોઈ જાણ કરી ન હતી.

Read more:- બોલિવૂડની આ સુંદરીએ જમીન પર પડીને કરાવ્યું આવું ફોટોશૂટ, લોકોએ કહ્યું- જમીન આગ ન પકડી લે

2. હવે, તે બિનઉપયોગી મોબાઇલ સિમ નંબર મોબાઇલ કંપની દ્વારા બંધ કરીને અન્ય વ્યક્તિને આપવામાં આવે છે.

3. મોબાઈલ કંપનીની પોલિસી અનુસાર, જો કોઈ નંબર તમારા દ્વારા 6 મહિના સુધી ઉપયોગમાં ન લેવાયો હોય તો તે કોઈ બીજાને આપી શકાય છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click 

 

4. હવે તેમના દ્વારા છ મહીના સુધી ન વપરાયેલ નંબર જે બીજી વ્યક્તિને ફાળવવામાં આવ્યો તે વ્યક્તિને બેંકના નિયમિત ઇનકમિંગ SMS આવવા લાગ્યા.

હવે તેણે બેંકની સાઇટ પર જઇને જરૂરી લીંક ઍક્સેસ કરી અને લખ્યું કે… Forgot Password- પાસવર્ડ ભૂલાઈ ગયો છે. તેથી લિંકના પ્રમાણીકરણ માટે બેંકમાંથી OTP તેના કબજામાં રહેલા નંબર પર ગયો. તેણે દરેક ઔપચારિકતાઓ પૂર્ણ કરી નવો પાસવર્ડ સેટ કર્યો અને ખુશીથી ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા તમામ પૈસા ઉપાડી લીધા.

તેથી, જો તમે તમારો જૂનો નંબર લિંક કર્યો છે જેનો તમે ક્યાંય ઉપયોગ કરી રહ્યાં નથી અથવા બંધ કરી રહ્યા છો, તો તમારે બેંકમાં જવું પડશે અને બેંકિંગ નિયમો અનુસાર તે નંબરને ડીલિંક કરવો પડશે.

કૃપા કરીને ધ્યાનમાં રાખો કે છ મહિના પછી તમારો મોબાઈલ નંબર અન્ય કોઈને ફરીથી ફાળવી શકાય છે.

આ હકીકત આપણામાંના ઘણા માટે નવી હોઈ શકે છે. પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માટે ધ્યાનથી વિચારો.

👉, અમુક લોકો 2 સીમ રાખે અને મેન નંબર પર રીચાર્જ નાં કરાવે અને બીજું સીમ પર Recharge કરાવે ….. એમના માટે ખાસ. …

Related posts

નવી વાત: રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે

cradmin

અફઘાનિસ્તાનથી ભારતીયોને લઈને આવેલું એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું

samaysandeshnews

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા કાલાવડ તાલુકાના મોટી માટલી, બાંગા, કૃષ્ણપુર,ખાનકોટડા ગામોની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરતાં સાંસદ શ્રી પૂનમબેન માડમ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!