Latest News
શીર્ષક: પાટણના સિદ્ધપુર હાઈવે પર ‘આતિશ’ ફેક્ટરીમાં ભયાનક આગ – બે કામદારો ગંભીર રીતે દાઝ્યા, ફેક્ટરીમાં મચી અફરા-તફરી ધંધુકા પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી: 3.95 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીની ધરપકડ 🌳 “વન બોલે છે… પોલીસ કરે છે! વિશ્વ પર્યાવરણ દિવસે જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુનો સંદેશ – ‘દરેક નાગરિક વર્ષે એક વૃક્ષ વાવે’” 🌍 🌱 “એક પેડ…એક સંકલ્પ: જામનગર કોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી” 🌍 “અબોલ જીવોની અઝાદી: જામનગરમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 32 નર ભેંસ છોડાવવામાં આવ્યા, બે ઇસમો સામે કડક કાર્યવાહી” “પર્યાવરણ સાથે બાળકોએ જોડ્યું જીવતંત્ર: ચેલામા એસઆરપી કેમ્પે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી”

UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી

સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે ખેતરમાં ગામની ચાર જગ્યાએ એકીસાથે બની આગની ઘટના,ugvcl તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો

UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી, વીજ લાઈનમાં તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની રજુઆત

વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા તકેદારી લેવામાં આવતી નથી, વીજ વાયર ઢીલા પડી જતા તાર અથડાતા આગની ઘટના બની: ખેડુત

પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામ ખાતે ખેતરોમાં આગની ઘટના બની હતી. મોટા જોરાવરપુરા ગામના ખેતર વિસ્તારમાં વરાણા ફીડર સંચાલિત જ્યોતિગ્રામ યોજના તળે નીકળેલ વીજ લાઈનમાં સૉર્ટ સર્કિટ થતાં અને વીજ વાયર ઢીલા હોવાના કારણે ગામની ચાર જગ્યાએ એકીસાથે આગની ઘટના બની હતી. ગામમાં વોલ્ટેજ વધઘટ થવાને લઈને અનેકવાર ઘટનાઓ બને છે ત્યારે ugvcl તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.


Ugvcl તંત્ર દ્વાર મોટા જોરાવરપુરા ગામે વરાણા ફીડર લાઈનમાં સમયસર સમારકામ નહીં થતાં ઠેર ઠેર લીલીવેલ અને બાવળ થી વિંટાયેલ વીજ થાંબલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ લીલીવેલ અને લીલા બાવળીયા પવન સાથે તાર અથડાતા સૉર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું ખેડુત પબાભાઇ ભગવાનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

મોટા જોરાવરપુરા ગામે આગની ઘટનામાં ખેડૂતોને નાના મોટુ ઘઉંના પાકમાં નુકશાન થયું છે. ત્યારે આગની ઘટનાની જાણ થતાંની સાથેજ ગ્રામજનોએ ટ્રેક્ટર મારફતે પાણી પહોંચાડી આગ ઉપર પાણી છન્ટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે રાધનપુર નગર પાલિકા ખાતે અનિલ રામાનુજએ આગની ઘટનાની જાણ કરતા નગર પાલિકા નું ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગની ઘટનાને લઈને ફાયર ફાઇટર અને સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી:

સમી તાલુકાના મોટા જોરાવરપુર ગામ ખાતે બનેલ આગની ઘટનાની જાણ રાધનપુર નગર પાલિકામાં કરતા રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યું હતું ત્યારબાદ ઘટનાની જાણ સમી પોલીસને થતાં સમી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી.

UGVCL તંત્રની ઘોર બેદરકારીને કારણે આગની ઘટના બની:-

સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે દાદર ગામથી શેરપુરા ગામ તરફ જઈ રહેલ વીજ લાઈન માં ઠેર ઠેર વીજવાયરો ઢીલા જોવા મળી રહ્યા છે તેમજ ખેતરોમાં ચાલેલ વીજ લાઈન કે જ્યાં થાંભલા ઉપર લીલીવેલ અને લીલા બાવળનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે.ત્યારે UGVCL દ્વારા લાઈનમાં કામગીરી નહીં કરાતા અને વિધુત બોર્ડના કર્મીઓની લાપરવાહીને કારણે વીજ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ આગની ઘટના બની છે અને આ લાઈનમાં તમામ જગ્યાએ તાર ઢીલા હોય ફોલ્ટ થવાના કારણ બની રહી છે જેને લઈને આગની ઘટના બની હતી તેવું ગામના ખેડુત પબાભાઇએ જણાવ્યુ હતું.ગ્રામજનો ના જણાવ્યા મુજબ વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા તકેદારી લેવામાં આવતી નથી ત્યારે વીજ વાયર ઢીલા પડી જતા તાર અથડાતા આગની ઘટના બની હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું છે.

મોટા જોરાવરપુરા ગામે અલગ અલગ 4 જગ્યાએ આગની બનતા લોકોમાં દોડધામ મચી..

સમી તાલુકાના મોટા જોરાવરપુર ગામે રોડની બિલકુલ બાજુમાં આવેલ ખેતર વિસ્તારમાં ugvcl ની વીજ લાઈન માં ફોલ્ટ થતાં ગામના ખેતર વિસ્તારોમાં અલગ અલગ ચાર જગ્યાએ આગની ઘટના બની હતી ત્યારે ગામજનોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.અને આગની ઘટનાની જાણ રાધનપુર પાલિકામાં કરતા રાધનપુર પાલિકા દ્વારા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચાડ્યું હતું ત્યારે ફાયર વિભાગના કર્મીઓ અને ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી.

UGVCL ની ઘોર બેદરકારી,ગામના ખેડૂતોને થયું નુકસાન,ઠેર ઠેર લાઈનોમાં લીલીવેલ બાવળનું સામ્રાજ્ય હોય મોટી દુર્ઘટના ઘટે તેં પહેલા સમારકામ જરૂરી :-

મોટા જોરાવરપુરા ગામે બનેલ આગની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ઘટના યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે બની છે ગામના સરપંચ સહિત ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ ugvcl તંત્ર દ્વારા કોઇજ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી ધ્યાન આપવામાં આવતું નથી જેને લઈને આ ઘટના બની છે. ત્યારે તંત્રના કર્મીઓ પોતાની મનમાનીચલાવતા હોય વીજ કર્મીઓ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ લાઈન વરાણા ફિડટ જ્યોતિગ્રામ યોજનાની વીજ લાઈનમાં વીજ વાયર ઢીલા પડી જતા શોર્ટ સર્કિટ થતાં આ આગની ઘટના બની છે.ત્યારે આગની ચપેટ માં ખેડુતનો પાક આવી જતા ખેડૂતોને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

યુજીવીસીએલ તંત્ર દ્વારા વીજ લાઈનો ચેક કરવામાં આવતી નથી અને લાઈનમાં ઠેર ઠેર લીલીવેલ અને બાવળ વિન્ટાયેલ હોય સમારકામ પણ કરવામાં આવતું નથી ત્યારે ચોક્કસથી કહી શકાય કે મોટા જોરાવરપુરા ગામે ugvcl ની બેદરકારી ને કારણે આ આગની ઘટના બની છે.ત્યારે ugvcl તંત્ર દ્વારા ઢીલા બનેલ તાર ખેંચી ખેતર વિસ્તારમાં જ્યા લીલીવેલ થાંભલા ઉપર ચડી હોય તેં દૂર કરી ઝડપી સમારકામ કરી લાઈન ચાલુ કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
સૌથી મોટો સર્વે વિસાવદર વિધાનસભા કોણ જીતશે ?
Only registered users can vote. Login to vote.