ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળા પરિવાર દ્વારા બાળકો માં આવેલ ઊણપને દૂર કરવા તેમજ કોરોના પછી બાળપણ ને ઘર માંથી બહાર લાવવા 5 વર્ષ થી લઈ 15 વર્ષ ના બાળકો માટે ફ્રી લેઝીમ કલાસ તેમજ લાઠી દાવ બીલાકડી ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં 60 જેટલા બાળકો ને મોબાઈલ ની દુનિયામાં થી બહાર લઈ આવા માટે અને શારીરિક અને માનસિક રીતે બાળકો નો પૂર્ણ વિકાસ માટે આ કલાસ ચલાવવામાં આવે છે.
લેઝીમના વિશેષજ્ઞો દિવ્યેશ જેઠવા,જયદીપ વારા,વૈભવ જેઠવા ,રિશી દાઉદિયા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.સાથોસાથ બાળાઓ અને બાળકો ને લાઠી દવ બિલાકડી જેવા દાવ કપિલ જેઠવા અને સાથી સ્વયંસેવક દ્વારા શીખવામાં આવી રહિયા છે. બાળકો ના ઉત્કર્ષ ને વધારવા માટે રાત્રિશાળા દ્વારા વિવિધ કેમ્પો ચલાવશે એવું પણ એક યાદી માં જણાવાયું છે.
આ સમગ્ર સીબીર અને કેમ્પો નું આયોજન રાત્રિશાળાના પ્રમુખ પ્રીતેસ પી. મહેતા ઉ.પ્રમુખ વિશાલ દાઉદીયા મંત્રી સાગર મહેતા ના માર્ગદર્શન હેઠળ સહ. મંત્રી મિતેષ દાઉદીયા ,ધર્મેશ જેઠવા,હિતાર્થ વારા, ધવલ રાઠોડ, ઉદિત વારા, તેમજ સમગ્ર ટીમ દ્વારા સનચાલન કરવામાં આવી રાહીયું છે