Latest News
આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાનના યુદ્ધ જહાજ પર અમેરિકાનો હુમલો, “ભારતના મહેમાન પર હુમલો” કહી ઈરાન ભડક્યું — વધતા તણાવથી વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ. ક્રિકેટના ભગવાનના ઘરમાં શેહનાઈ — અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના ભવ્ય લગ્નમાં ક્રિકેટ, ફિલ્મ અને ઉદ્યોગ જગતના દિગ્ગજો એકત્રિત. મુસાફરો માટે નવી સુવિધાઓનું કેન્દ્ર – ખાર રોડ રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો આધુનિક એલિવેટેડ ડેક બન્યો મલ્ટી-યુઝ હબ. તમારા બાળકનું આધાર સમયસર અપડેટ કરો – નહીં તો શિષ્યવૃત્તિ, પરીક્ષા અને સરકારી યોજનાઓમાં આવી શકે મુશ્કેલી! જાણો UIDAIની નવી માર્ગદર્શિકા. “વિદ્યાર્થીઓની સુરક્ષા હવે પ્રથમ પ્રાથમિકતા: રાજ્યભરની સ્કૂલોમાં સેફ્ટી વ્યવસ્થાનો વિશેષ ઇન્સ્પેક્શન, ત્રણ વર્ષનો વિગતવાર રિપોર્ટ માંગ્યો” “જામનગરમાં ઓનલાઇન ખરીદી મોંઘી પડી: OTP આપતા જ બેંક ઓફ બરોડા ખાતામાંથી 2.24 લાખની સાઇબર છેતરપિંડી”

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિન્હ રૂપ અને અસરકારક કામગીરી

ઓનલાઇન ફ્રોડ ટોળકીના ભોગ બનેલા જામનગર જિલ્લાના ૬૦ થી વધુ નાગરિકોની ૧ કરોડ ૨૧ લાખની રોકડ રકમ અપાવી દીધી

જામનગર તા ૧૦, જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની છેલ્લા ત્રણ માસ દરમિયાન ખૂબ જ અસરકારક કામગીરી જોવા મળી છે, અને જિલ્લા ભરના ૬૦ થી વધુ નાગરિકોની છેલ્લા ત્રણ મહિના દરમિયાનની ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ માં ગયેલી ૧ કરોડ ૨૧ લાખની રકમ અદાલત ના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામી ના ખાતામાં જમા કરાવડાવી દીધી છે.


સાયબર ક્રાઇમ (નાણાંકીય છેતરપીંડી)નો ભોગ બનેલા જામનગર શહેર અને જીલ્લાના ૬૦ થી વધુ અરજદારોને અદાલતના હુકમ ના આધારે કૂલ રૂ.૧, ૨૧, ૨૨,૪૦૨ની રકમ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથક ના સ્ટાફ દ્વારા જેતે આસામી ને પરત તેઓના બેન્ક ખાતામાં જમા કરાવડાવી દીધી છે.

રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામ શહેરના નાયબ પો.અધિ. જયવિરસિંહ ઝાલા વગેરેએ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદરૂપ થવા અને તેમનાં ગુમાવેલાં નાણાં પરત અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરાને માર્ગદર્શન હેઠળ સૂચના આપી હતી.


જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમ નો ભોગ બનેલા ૬૦ થી વધુ અરજદારોનો સંપર્ક સાધી તેઓની બેંકની જરૂરી માહિતીઓ મંગાવી ફ્રોડમાં ગયેલા નાણા પરત મેળવવા સામેવાળાનાઓના બેન્ક એકાઉન્ટ ની માહિતીઓ મંગાવી છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત મળી રહે, તે માટે અદાલત ના હુકમ મેળવી જામનગરના અરજદારોને રૂ.૧,૨૧,૨૨,૪૦૨/- (એક કરોડ એકવીસ લાખ બાવીસ હાજાર ચારસો બે) પરત કરાવેલા છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?