ચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ સહિત ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા …

પંચમહાલ…

પંચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરા ના પટીયા ગામમા નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા વણકર સમાજ ભવન ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સહિત ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં બંધારણના ઘડવૈયા ભારત રતન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 134 મી જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવવા સાથે અનેક સ્થળો ખાતે બાઇક રેલી સહિત ઠેર ઠેર કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે શહેરા ના પટીયા ગામ ખાતે આવેલ નવજીવન જનસેવા ટ્રસ્ટ પટીયા દ્વારા વણકર સમાજ ભવન ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમ મા ઉપસ્થિત વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક , રાકેશ ભાઈ વ્યાસ સહિત નવ જીવન જન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બાબુ ભાઈ હીરા ભાઈ વણકર, મંત્રી મનુ ભાઈ સોલંકી, બાહી ગામના હસમુખભાઈ વણકર તેમજ વણકર સમાજ અગ્રણીઓ અને ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા,નવ જીવન જન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બાબુ ભાઈ હીરા ભાઈ વણકર, મંત્રી મનુ ભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ વાલજીભાઈ સુરેલિયા,સુરેશ પરમાર , સહ મંત્રી કનુ ભાઈ વણકર, ભુપેન્દ્ર ભાઈ મનુ ભાઈ સોલંકી, ભીખાભાઈ સોમાભાઈ પરમાર અને વણકર સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિત આમંત્રિત મહેમાનોનું ફુલહાર પહેરાવીને , સાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યારે નગરના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવવા સાથે જય ભીમ જય સંવિધાનના નારાઓ ગુંજયા હતા.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?