Latest News
“જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ: ખેડૂતોના ચહેરા પર છવાયું આનંદ, ઉપજને મળ્યું ન્યાયસંગત મૂલ્ય “જામનગરનો હિત કંડોરિયા રાષ્ટ્રીય લોન ટેનિસ ચેમ્પિયન બન્યો: છત્રપતિ શંભાજીનગરની નૅશનલ ટુર્નામેન્ટમાં જામનગરનો લાડકો તારકો તેજસ્વી રીતે ચમક્યો” “પલસાણા SOGનો મોટો ભાંડાફોડ : કારેલી ગામની રાશી રેસિડન્સીમાં ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો — લોકોના આરોગ્ય સાથે રમતો ખોટો હકીકતનો હકીમ!” “કામરેજમાં એલ.સી.બી.નો ધમાકેદાર રેઇડ : વાવ ગામે નાયરા પેટ્રોલપંપના પાર્કિંગમાંથી ટ્રકમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો — શાકભાજીના કેરેટની આડમાં લાખોની હેરાફેરીનો ભાંડાફોડ” “તાલાળા-સાસણ રોડ બન્યો ત્રાસનો માર્ગ : ધીમા રોડ કામે મુસાફરોનો કંટાળો ચરમસીમાએ, વાહન કતારો કિલોમીટર સુધી ખેંચાઈ — તંત્રની નિંદ્રા સામે જનતાનો આક્રોશ ઉફાન પર” ધોરાજી-જુનાગઢ હાઈવે પર ભયાનક બસ અકસ્માત: ૩૩ મુસાફરોમાંથી ૨૦ ઘાયલ, ૪ની સ્થિતિ ગંભીર — થોડા જ દિવસોમાં બીજી મોટીઘટના

જામનગર માં આગામી રામનવમી તથા આંબેડકર જયંતિ સહિતના તહેવારોને અનુલક્ષીને એસ.પી. ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જામનગર તા ૫, જામનગર શહેરમાં આગામી રામ નવમી ના તહેવાર ઉપરાંત આંબેડકર જયંતિ સહિતના જુદા જુદા તહેવારોને અનુલક્ષીને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તેના ભાગરૂપે જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.


આગામી રામનવમીના તહેવારને લઈને શહેરમાં નીકળનારી રામ સવારી સંદર્ભે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, અને શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થાય, તેના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બનેલું છે, તેવી જાણકારી આપી હતી, અને તમામ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓને તહેવારોને અનુરૂપ જરૂરી સૂચનો કર્યા હતા.


આ વેળાએ તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા, સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ સાથે રામ સવારી ના આયોજન દરમિયાન ડી.જેમ સિસ્ટમ લઈને જોડાનારા ડી.જે. ઓપરેટરની પણ એક અલગથી બેઠક યોજવામાં આવી હતી, અને તેમાં ભગવાન શ્રીરામ ની ધુનોને લગત અને રામધૂન સાથેના ગીતો ભજનો વગાડવા માટેનું જરૂરી- સૂચન કર્યું હતું. તેમ જ કોઈ બિનજરૂરી ગીતો- સંવાદો નહીં વગાડવા તાકીદ કરી હતી.

Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
Poll Options are limited because JavaScript is disabled in your browser.
error: Content is protected !!

WhatsApp us

Exit mobile version