જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે, હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે.ખેડૂતો પાઇપ લાઇન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી પાઈપલાઈન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પસાર કરવાની પેરવી ચાલી રહી છે એ વચ્ચે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ પ્રોજેક્ટથી જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે.

તોરણીયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા. ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્રે વિરોધ નોંધાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે. અહીંથી પસાર થતી પાઇપ લાઇન જેમને મંજૂરી પણ નથી આપી. તેમ છતાં પાઇપ લાઇન પાથરવામાં આવી રહી છે, તેમજ ઘટના સ્થળે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓએ જેસીબીના મશીનમાં બેસી ગયા હતા અને સાથે વિરોધ. નોંધાવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી પાઇપલાઇન ના કારણે ઉભા પાક જો નષ્ટ થઈ જ રહ્યા છે સાથે પાઇપલાઇન ફીટ કરવામાં આવશે તો તે પણ નુકસાની અમારે જ ભોગવવાની રહેશે. આથી ખેડૂતોએ વિરોધ નોંધાવી તો સાથે મીડિયાને કવરેજ કરવા માટે જેતપુર ઉદ્યોગના મળતી આવો પણ પહોંચ્યા હતા.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?